બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Kapil Sharma show krushna abhishek will be return in the show

મનોરંજન / ફરી પેટ પકડીને હસી પડશો.. Kapil Sharma શોમાં પાછો આવી શકે છે આ કોમેડિયન, નામ સાંભળીને જ ગુદગુદી થશે

Manisha Jogi

Last Updated: 05:11 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપિલ શર્માનો ટેલિવિઝન શો સૌથી પોપ્યુલર શોમાંથી એક છે. આ શોની ચોથી સીઝન લોકોને પસંદ નથી આવી રહી. આ ફેમસ કોમેડિયનની શોમાં વાપસી દર્શકોને પસંદ આવશે શો.

  • કપિલ શર્માની આ ચોથી સીઝન લોકોને પસંદ નથી આવી રહી.
  • સુનિલ ગ્રોવર સહિત આ કોમેડિયને શોમાંથી લીધી એક્ઝિટ.
  • શોને ફરી લાઈમલાઈટમાં લાવવા આ કોમેડિયન કરશે વાપસી. 

 કપિલ શર્માનો ટેલિવિઝન શો સૌથી પોપ્યુલર શોમાંથી એક છે. સોની ટીવી પર પ્રસારિત થનાર આ શોમાં ડૉ.મશહૂર ગુલાટી, સપના તમામ લોકોના પાત્ર લોકોને પસંદ છે. કપિલ શર્માની આ ચોથી સીઝન લોકોને પસંદ નથી આવી રહી. સુનિલ ગ્રોવર અને અલી અસગર પછી કૃષ્ણા અભિષેક અને ચંદન પ્રભાકરે પણ આ શોમાંથી એક્ઝિટ લઈ લીઘી છે. ફેમસ કોમેડિયને આ શો છોડી દીધા પછી ઓડિયન્સને આ શોમાં રસ નથી. અહીંયા અમે દર્શકો માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ. રિપોર્ટ્સ અનુસાર કપિલ શર્માના શોની ડૂબતી નૈયા પાર કરવા માટે ફેમસ કોમેડિયન પરત આવી શકે છે. 

કપિલ શર્મા શોમાં ફરી બ્યુટી પાર્લર ખુલી શકે છે
સુનિલ ગ્રોવરે શો છોડી દીધા પછી કોમેડિયન કૃષ્ણા અભિષેકની આ શોમાં એન્ટ્રી થઈ હતી. જેમણે સપનાનું પાત્ર ભજવીને તમામ લોકોને હસાવી હસાવીને લોટપોટ કરી દીધા હતા. કૃષ્ણા અભિષેકે જણાવ્યું હતું કે, ‘કોન્ટ્રાક્ટ ઈશ્યૂ’ના કારણે તેમણે કપિલનો શો છોડ્યો હતો. પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર કૃષ્ણા અભિષેક ફરીએક વાર આ શોમાં પાછા આવી શકે છે. આ બાબતે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને તેઓ ફરી એકવાર સાથે આવી શકે છે. હજુ તેમણે પેપર સાઈન કર્યા નથી. એકબીજા સાથે ચર્ચા કરી લીધા પછી નિર્માતા તેમની વાપસીની જાહેરાત કરી શકે છે. 

કૃષ્ણા અભિષેકનું નિવેદન
કપિલ શર્મા શો છોડી દીધા પછી કોમેડિયન કૃષ્ણા અભિષેકે જણાવ્યું હતું કે, ‘કોન્ટ્રાક્ટ ઈશ્યૂ છે. તેના સિવાય બીજી કોઈ વાત નથી. હું અને મારી ટીમ એકબીજા સાથે લાગણીથી જોડાયેલા છીએ.’ કૃષ્ણા અભિષેકને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ‘કોન્ટ્રાક્ટ ઈશ્યૂ સોલ્વ થઈ જાય શું તેઓ શોમાં વાપસી કરશે?’ જેના જવાબમાં કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે, ‘હા હુ કપિલભાઈને અને કપિલભાઈ મને પ્રેમ કરે છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ