બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut breaks down after sadhguru jaggi vasudev undergoes brain surgery

મનોરંજન / VIDEO : 'મને લાગ્યું ભગવાન ચાલ્યાં ગયા', સદગુરુની તબિયત જોઈને રડી પડી કંગના રનૌત

Arohi

Last Updated: 12:24 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut On Sadhguru Jaggi Vasudev: આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવની બ્રેઈન સર્જરી થઈ છે. સદગુરૂ છેલ્લા ચાર અઠવાડિયાથી ગંભીર માથામાં દુખાવાથી પીડિત હતા. જેના બાદ 17 માર્ચે દિલ્હીના અપોલો હોસ્પિટલમાં તેમની બ્રેઈન સર્જરી થઈ.

બ્રેઈન સર્જરી બાજ સદગુરૂ જગ્ગી વાસુદેવનો એક વીડિયો મેસેજ સામે આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે સર્જરી બાદ તેમની સ્થિતિ હજુ ઠીક નથી. તેમની સ્થિતિને જોતા કંગના રણૌત ભાવુક થઈ ગઈ હતી. 

 

કંગનાએ શેર કરી પોસ્ટ 
કંગનાએ એક્સ પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. કંગનાએ એક્સ પર લખ્યું, "આજે મેં સદગુરૂજીને આઈસીયુ બેડ પર સુતેલા જોયા તો મને અચાનક તેમના અસ્તિત્વની નશ્વરતાનો અહેસાસ થયો. આ પહેલા મને ક્યારેય એવો ખ્યાલ નથી આવ્યો કે તે આપણી જેમ જ હાડકા, માંસ, લોહીથી બનેલા છે."

કંગનાએ લખ્યું, "મને લાગ્યું કે ભગવાન જતા રહ્યા છે. પૃથ્વી હલી ગઈ છે. આકાશે સાથ છોડી દીધો છે. મને લાગે છે કે મારૂ મગજ ફરી રહ્યું છે. હું આ વાસ્તવિકતાને સમજી નથી શકતી અને તેના પર વિશ્વાસ નથી કરવા માંગતી."

વધુ વાંચો: જીંદગી અને મોતની જંગ લડી રહી છે આ સાઉથ એક્ટ્રેસ, પરિવાર પાસે સારવારના પણ પૈસા નહીં, માંગી મદદ

કંગનાએ આગળ કહ્યું કે "હું તેનાથી તૂટી ચુકી છું. હું સદગુરૂના લાખો ભક્તોની સાથે પોતાનું દુખ શેર કરવા માંગું છું. હું પોતાને સંભાળી નથી શકતી. અભિનેત્રીએ આગળ કહ્યું તે ઠીક થઈ જાય તો સારૂ છે નહીં તો સૂરજ નહીં ઉગે, દુનિયા નહીં ચાલે..."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ