બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Assembly election 2023 / ભારત / kailash vijayvargiya on madhya pradesh election results and exit poll says bjp will get landslide victory in mp
Dinesh
Last Updated: 04:36 PM, 2 December 2023
ચાર રાજ્યોની ચૂંટણીની મતગણતરી રવિવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યાં છે. પરિણામો પહેલા એક્ઝિટ પોલ આવ્યા છે ત્યારબાદથી રાજકીય પક્ષોની સક્રિયતા અને નિવેદનબાજીમાં જોરદાર વધારો થયો છે. કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, તેઓ એક્ઝિટ પોલથી ચિંતિત નથી પરંતુ મતદારોમાં વિશ્વાસ ધરાવે છે. કમલનાથે મતગણતરી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને 130થી વધુ સીટો મળશે, તમે આવતીકાલ સુધી રાહ જુઓ.
કૈલાશ વિજયવર્ગીયએ શું કહ્યું ?
ચૂંટણી પરિણામો પહેલા જ ભાજપની છાવણીમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકને લઈને વિજયવર્ગીયની સ્પષ્ટતા પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, મારી અમિત શાહ સાથે ચૂંટણી સંબંધિત કોઈ ચર્ચા નથી થઈ પરંતુ ચર્ચા વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે થઈ છે. અમને પૂરો વિશ્વાસ છે કે અમારી સરકાર બનશે. રાજ્યમાં કોંગ્રેસે બહુમતી ગુમાવી દીધી છે. કોંગ્રેસને 75 બેઠકો મળે તો પણ મને નવાઈ લાગશે. કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ છે એટલે તેણે ઈવીએમનું બહાનું બનાવવાનું શરૂ કરી દીધું છે.
'ભાજપને 175 બેઠકો મળશે'
કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાસે ન તો નેતા છે, ન નીતિ કે નેતૃત્વ. ભાજપને 175 બેઠકો મળશે. મોદીજી અને શિવરાજજીની યોજનાઓથી જનતાને ફાયદો થયો છે. સીએમ કોણ હશે તે પ્રશ્નના જવાબમાં વિજયવર્ગીયએ કહ્યું કે, આ દિલ્હીમાં બેઠેલા અમારા નેતાઓનું કામ છે, આ સિવાય અમારી પાસે આંતરિક લોકશાહી છે, ત્યાં વિધાયક દળની બેઠક થશે અને તે પછી પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ સંસદીય દળની બેઠકમાં નામ પર મહોર લાગશે અને માત્ર ભાજપનો કાર્યકર જ મુખ્યમંત્રી બનશે.
શિવરાજ સિંહ ચૌહાણ શું કહ્યું ?
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે લોકોનો પ્રેમ અને વિશ્વાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની અદ્ભુત યોજનાઓ, મધ્યપ્રદેશમાં અભૂતપૂર્વ વિકાસ છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં ફરી એકવાર કમળ ખીલવા જઈ રહ્યું છે.
એક્ઝિટ પોલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh