બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ધર્મ / kaal sarp dosh in the horoscope then once visit this miraculous temple

માન્યતા / કુંડળીમાં કષ્ટોનું સૌથી મોટું કારણ એટલે 'કાળસર્પ દોષ', શિવજીના આ મંદિરમાં દર્શન માત્રથી થઇ જશે દૂર

Manisha Jogi

Last Updated: 04:12 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દોષના કારણે વ્યક્તિએ અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિના બનતા કામ બગડવા લાગે છે. આ તીર્થસ્થાન પર વિધિ વિધાન સાથે પૂજા કરવાથી કાળસર્પ દોષ દૂર થાય છે.

  • કાળસર્પ દોષ ખૂબ જ કષ્ટકારી ગણવામાં આવે છે
  • અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે
  • આ તીર્થસ્થાન પર પૂજા કરવાથી કાળસર્પ દોષ દૂર થાય છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં કાળસર્પ દોષ ખૂબ જ કષ્ટકારી ગણવામાં આવે છે. આ એક એવો યોગ છે, જેનાથી આર્થિક નુકસાન ખૂબ જ થાય છે. આ દોષના કારણે વ્યક્તિએ અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિના બનતા કામ બગડવા લાગે છે. કુંડળીમાં આ દોષ તીર્થસ્થાન વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે, જ્યાં વિધિ વિધાન સાથે પૂજા કરવાથી કાળસર્પ દોષ દૂર થાય છે. 

સનાતન પરંપરા અનુસાર કાળસર્પ દોષથી રાહત મેળવવા માટે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલ ત્ર્યંબકેશ્વર મંદિર પ્રસિદ્ધ સ્થાન છે. હિંદુ માન્યતા અનુસાર 12 જ્યોતિર્લિંગમાંથી એક ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનું વિશેષ મહત્ત્વ છે, જ્યા નાગપંચમી અથવા અન્ય ખાસ અવસરે કાળસર્પ દોષની વિશેષ પૂજા કરવામાં આવે છે. 

મહાદેવના મંદિરમાં દૂર થાય છે કાળસર્પ દોષ
ધાર્મિક માન્યતા અનુસાર કાળસર્પ દોષની પૂજા માટે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ પ્રસિદ્ધ સ્થાન છે. આ એક એવું મંદિર છે, જ્યાં લાખો વર્ષોથી લોકો કાળસર્પ દોષ દૂર કરવા માટે આવે છે. માનવામાં આવે છે કે, આ પાવન જ્યોતિર્લિંગના દર્શન માત્રથી કાળસર્પ દોષ દૂર થાય છે. આ કારણોસર દેશ વિદેશથી લોકો કાળસર્પ દોષ દૂર કરવા માટે અહીંયા પૂજા કરાવવા માટે આવે છે. કાળસર્પ દોષની પૂજામાં ઓછામાં ઓછો 3 કલાકનો સમય લાગે છે. આ મંદિરમાં ભગવાન શિવ મહામૃત્યુંજય રૂપમાં સ્થાપિત હોવાથી આ મંદિરને કાળસર્પ દોષની અસરથી બચવા માટે વિશેષ માનવામાં આવે છે. 

કાળસર્પ દોષ દૂર કરવા માટેના ઉપાય

  • કાળસર્પ દોષથી બચવા માટે ભગવાન ગણેશની પૂજા ખૂબ જ લાભકારક હોય છે. ગણેશજી કેતુના દુખને શાંત કરે છે અને માઁ સરસ્વતીની પૂજા કરનારા લોકોને રાહુ સામે રક્ષણ આપે છે. 
  • નિયમિતરૂપે ભૈરવાષ્ટકની પૂજા કરવાથી કાળસર્પ દોષ સાથે જોડાયેલ કષ્ટથી રાહત મળે છે. 
  • કાળસર્પ દોષ દૂર કરવા માટે દરરોજ રૂદ્રાક્ષની માળાથી 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. 
  • કાળસર્પ દોષથી બચવા માટે બુધવારના દિવસે વિશેષ રૂપે પ્રાણપ્રતિષ્ઠિત તથા અભિમંત્રિત વીંટી કનિષ્ઠા આંગળીમાં ધારણ કરવી. 
  • કાળસર્પ દોષ દૂર કરવા માટે બુધવારના દિસે કાળા કપડામાં એક મુઠ્ઠી અડદ અથવા મગની દાળ લઈને રાહુમંત્રનો જાપ કરો અને જરૂરિયાતમંદ વ્યક્તિને તેનું દાન કરો. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ