બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Manisha Jogi
Last Updated: 04:12 PM, 26 June 2023
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં કાળસર્પ દોષ ખૂબ જ કષ્ટકારી ગણવામાં આવે છે. આ એક એવો યોગ છે, જેનાથી આર્થિક નુકસાન ખૂબ જ થાય છે. આ દોષના કારણે વ્યક્તિએ અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિના બનતા કામ બગડવા લાગે છે. કુંડળીમાં આ દોષ તીર્થસ્થાન વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે, જ્યાં વિધિ વિધાન સાથે પૂજા કરવાથી કાળસર્પ દોષ દૂર થાય છે.
સનાતન પરંપરા અનુસાર કાળસર્પ દોષથી રાહત મેળવવા માટે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલ ત્ર્યંબકેશ્વર મંદિર પ્રસિદ્ધ સ્થાન છે. હિંદુ માન્યતા અનુસાર 12 જ્યોતિર્લિંગમાંથી એક ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનું વિશેષ મહત્ત્વ છે, જ્યા નાગપંચમી અથવા અન્ય ખાસ અવસરે કાળસર્પ દોષની વિશેષ પૂજા કરવામાં આવે છે.
ADVERTISEMENT
મહાદેવના મંદિરમાં દૂર થાય છે કાળસર્પ દોષ
ધાર્મિક માન્યતા અનુસાર કાળસર્પ દોષની પૂજા માટે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ પ્રસિદ્ધ સ્થાન છે. આ એક એવું મંદિર છે, જ્યાં લાખો વર્ષોથી લોકો કાળસર્પ દોષ દૂર કરવા માટે આવે છે. માનવામાં આવે છે કે, આ પાવન જ્યોતિર્લિંગના દર્શન માત્રથી કાળસર્પ દોષ દૂર થાય છે. આ કારણોસર દેશ વિદેશથી લોકો કાળસર્પ દોષ દૂર કરવા માટે અહીંયા પૂજા કરાવવા માટે આવે છે. કાળસર્પ દોષની પૂજામાં ઓછામાં ઓછો 3 કલાકનો સમય લાગે છે. આ મંદિરમાં ભગવાન શિવ મહામૃત્યુંજય રૂપમાં સ્થાપિત હોવાથી આ મંદિરને કાળસર્પ દોષની અસરથી બચવા માટે વિશેષ માનવામાં આવે છે.
કાળસર્પ દોષ દૂર કરવા માટેના ઉપાય
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT