બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / jammu kashmir lashkar behind killing of recent kashmir people killing including rahul bhat and spo
Pravin
Last Updated: 04:16 PM, 13 May 2022
કશ્મીર ઘાટીમાં સ્થાનિક લોકો પર થયેલા હુમલા પાછળ લશ્કર અને જૈશનો હાથ છે. પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના બચાવવા માટે પાકિસ્તાની એજન્સી આઈએસઆઈના ઈશારા પર કાશ્મીર ટાઈગર્સનું નામ લેવામાં આવી રહ્યું છે. તેના ચીફ મુફ્તી અલ્તાફ ડિસેમ્બર 2021માં જ મરી ચુક્યો છે. કાશ્મીર ટાઈગર્સને અલ્તાફે જ બનાવ્યો હતો અને ખુદ અલ્તાફ જૈશના આતંકવાદી હતો.
J&K Police paid rich tributes to SPO Riyaz Ahmad Thoker, who was shot dead by terrorists today.
— ANI (@ANI) May 13, 2022
A wreath-laying ceremony was held in the Pulwama district, which was attended by top police and paramilitary officials. pic.twitter.com/9BQrMUusro
હત્યા પાછળ કથિત રીતે આ નામ સામે આવ્યું
ઘાટીમાં કશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા પાછળ કશ્મીર ટાઈગર્સનું નામ કથિત આતંકી સંગઠનનું નામ હોવાનું જણાવાય છે. આ એ સંગઠન છે, જેનો જન્મ 2021માં થયો, આપને યાદ હશે કે, 13 ડિસેમ્બર 2021ના રોજ કશ્મીરના પંપોર વિસ્તારમાંથી જમ્મુ કાશ્મીર પોલીસની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ડઝનથી વધારે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને પોલીસકર્મી શહીદ પણ થયા હતા. આ હુમલાની તુરંત બાદ તેની જવાબદારી કશ્મીર ટાઈગર્સ નામના નવા આતંકી સંગઠને લીધી હતી. તેણે દાવો કર્યો હતો કે, પોલીસ બસ પર તેણે હુમલો કર્યો હતો.
જૈશના આતંકી તરીકે સામે આવ્યો અલ્તાફ
ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ બાબતની તપાસ કરવા પર જાણવા મળશે કે, સંગઠનને જૈશના આતંકી મુફ્તી અલ્તાફ ઉર્ફ અબૂ જારે બનાવ્યો હતો. અબૂ જાર વિશે જાણવા મળ્યું છે કે, આ શખ્સ પહેલા અનંતનાગમાં પોતાનું મદરેસા ચલાવતો હતો અને આતંકીઓ માટે ઓવરગ્રાઉંડ વર્કર તરીકે પણ કામ કરતો હતો. ત્યાર બાદ અલ્તાફ અને તેની ફેમિલી ગાયબ થઈ ગયા અને અલ્તાફ દૈશના આતંકી તરીકે સામે આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ