બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jainacharya Suryasagarji opposes controversial statement of Swaminarayan sect saints
Vishnu
Last Updated: 10:45 PM, 11 September 2022
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદાસ્પદ નિવેદને લઈ લોકોની લાગણી દુભાઈ છે જેને લઈ તમામ ધર્મના સંતો મહંતો પણ વિવાદમાં ઝંપલાવ્યું છે દરેક ધર્મના સંતો-મહંતો પણ ભગવાનની થયેલી ટીપ્પણીનો વિરોધ કરી રહ્યાં છે સાથો સાથ પોત-પોતાના આચાર અને વિચારો પણ રજૂ કરતા હોય છે તેવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો નિવેદન પર જૈનાધર્મના સંતો-મહંતોએ પણ આ ટીપ્પણીમાં ઝંપલાવ્યું છે.
ડાકુ અને દુષ્કર્મી સાથે વિવાદિત સાધુઓને સરખાવ્યા
જેને હજારો લોકો અનુસરે છે, જેના એક વચન પર હજારો ભક્તોના જીવન બદલાય છે, એવા સંતો પોતાની જવાબદારી ભુલી વાણી વિલાસ કરી રહ્યા છે. સંતો જેમના જીવનમાં સંયમનું વિશેષ મહત્વ હોય છે એ જ સંતો પોતાની જીભ પરથી સંયમ ગુમાવી રહ્યા હોય તેવું લાગે છે. તાજેતરમાં સ્વામી નારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવિધ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જેમાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર 200 વર્ષ જૂનો છે. સનાતન ધર્મ પર ટિપ્પણી કરવાનો આવા સંતોને કોઇ અધિકાર નથી. વિવાદીત સંતોને ડાકુ અને દુષ્કર્મી સાથે સરખાવ્યા હતા.
સાધુ માત્ર વસ્ત્રો ધારણ કરવાથી નથી બની જવાતું- જૈનાચાર્ય સૂર્યસાગરજી
સામાન્ય રીતે કહેવાય છે કે એક્તામાં અનેકતા પણ જાતિ, ધર્મ અને ઉચ્ચ-નીચના ભેદભાવધી દેશની એકતા ડોહળાય છે તેવામાં ધાર્મિક સ્થળ, ધર્મ, સંપ્રદાય કે ભગવાનને લઈ ટીપ્પણી કરવાથી લોકોની લાંગણી દુભાતી હોય છે અને મોટા ઝગડા અને વિવાદનું કારણ પણ બનતું હાય છે. તેવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદાસ્પદ ટિપ્પણીને લઇ જૈનાચાર્ય સૂર્યસાગરજીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સાધુ માત્ર વસ્ત્રો ધારણ કરવાથી નથી બની જવાતું પણ સાધુ-સંત હમેશા ગુણો અને આચરણથી બનાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ વાયરલ થઈરહ્યા છે. જેમાં ભગવાન પર આપત્તીજનક ટીપ્પણી કરી હોવાના દાવા થઈ રહ્યા છે. જો કે કેટલાક સાધુઓનું કહેવું છે કે તેમના પ્રવચનને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે. વડતાલ મંદિરના ધર્મવલ્લભ સ્વામીનો આવો જ એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તે ભગવાન કૃષ્ણ વિરૂદ્ધ બોલતા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતુ. જો કે ધર્મવલ્લભ સ્વામીએ આ વિડીયો અંગે સ્પષ્ટતા કરતો વધુ એક વીડિયો સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો છે. અને પોતે ભગવાન કૃષ્ણનું કોઈ અપમાન ન કર્યું હોવાનું જણાવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા