બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / IRCTC Bring Jagannath dham Yatra Tour package

ટુર / IRCTC લાવ્યું છે માત્ર 8505 રૂપિયામાં કોલકાતા અને જગન્નાથ પુરી ફરવાની તક

Noor

Last Updated: 05:24 PM, 28 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ(IRCTC) યાત્રીઓ માટે કોલકત્તા અને જગન્નાથ પુરીનું એક બેસ્ટ ટુર પેકેજ લઇને આવ્યું છે. આ ટુર પેકેજનું નામ છે ‘જગન્નાથ ધામ યાત્રા’. આઇઆરસીટીસીએ આ ટુર પેકેજની ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન હેઠળ જાહેરાત કરી છે. આ પેકેજ હેઠળ યાત્રીઓને કોલકાતા, જગન્નાથ પુરી અને ભુવનેશ્વરની વિઝિટ કરાવાશે.

  • જગન્નાથ ધામ યાત્રાનું એક બેસ્ટ ટુર પેકેજ લાવ્યું IRCTC
  • આ ટુર 6 ડિસેમ્બર 2019ના રોજ શરૂ થશે
  • આ યાત્રા 8 રાત અને 9 દિવસની હશે

આઇઆરસીટીસી ટુરિઝમની ઓફિશિયલ વેબસાઇટ www.irctctourism.com પર તેની જાણકારી આપવામાં આવી છે. આ ટુર 6 ડિસેમ્બર 2019ના રોજ શરૂ થઇને 14 ડિસેમ્બર 2019 સુધી ચાલશે. આઇઆરસીટીસી અનુસાર આ યાત્રા 8 રાત અને 9 દિવસની હશે. અગરતલા, બદરપુર, ગુવાહાટી, ન્યુ બોંગઇગામ, ન્યુ કુચ બિહાર, ન્યુ જલપાઇગુડી અને માલદા ટાઉન સ્ટેશનથી સહેલાણીઓ આ ભારત સ્પેશિયલ ટ્રેનમાં સવાર થઇ શકશે. આ ટ્રેન 6 ડિસેમ્બરે અગરતલા સ્ટેશનથી બપોરે 12 વાગે ઉપડશે. ટેરિફની વાત કરીએ તો આ ટુર પેકેજ માટે યાત્રીઓએ પ્રતિ વ્યક્તિ 8505 રૂપિયા ભાડુ ચુકવવું પડશે. આઇઆરસીટીસીની વેબસાઇટ ઉપરાંત તમે કોઇ પણ ક્ષેત્રીય કાર્યાલયથી આ પેકેજનું બુકિંગ કરાવી શકો છો. 

આ જગ્યાઓએ ફરવાની તક મળશે

આ ટુર પર યાત્રીઓ 8 ડિસેમ્બરે હુગલી તટ પર ગંગા સ્નાન બાદ દક્ષિણેશ્વર કાળી મંદિરમાં દર્શન કરશે. દક્ષિણેશ્વર કાલી માતા મંદિર કોલકત્તાનું સૌથી મોટુ કાલી માતાનું મેદિર છે. તે હુગલી નદીના (ગંગા નદીનું બીજુ નામ) તટ પર બેલુર મઠની પાસે આવેલુ છે. તે બંગાળીઓનું પ્રમુખ કેન્દ્ર માનવામાં આવે છે. દેશ-વિદેશથી કાલી માતાના ભક્તો અહીં બહુ મોટી સંખ્યામાં આવે છે. 

આ સુવિધાઓ મળશે

ત્યારબાદ ટ્રેન પુરી માટે ખુલશે. 9 ડિસેમ્બરે બધા યાત્રીઓ જગન્નાથ પુરીના દર્શન કરશે. જગન્નાથ પુરી હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારબાદ 10 ડિસેમ્બરે કોણાર્ક સુર્ય મંદિર જશે. બપોરે જમ્યા બાદ લિંગરાજ મંદિર, ઉદયગિરિ અને ભુવનેશ્વરમાં ખંડગિરિ ફરવા જઇ શકો છો. રાત્રે ટ્રેન પાછી અગરતલા માટે નીકળશે. આ ટુર પેકેજમાં યાત્રીઓને સ્લિપર ક્લાસની યાત્રા, શાકાહારી જમવાનુ, ધર્મશાળાઓ અને ડોરમેટ્રીમાં રહેવાની વ્યવસ્થા ઉપરાંત સાઇટ સીઇંગ માટે નોન એસી ગાડીઓની વ્યવસ્થા અને સુરક્ષા સામેલ છે. 

આલેખનઃ ભૂમિકા ત્રિવેદી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ