બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ભારત / indian navy carries out calibrated operation in high seas forces 35 somali pirates to surrender
Priyakant
Last Updated: 10:57 AM, 17 March 2024
Indian Navy Operation : ભારતીય નૌકાદળને દરિયાઈ ડાકૂઓ સામેના ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. વાત જાણે એમ છે કે, ભારતીય દરિયાકાંઠે લગભગ 1,400 નોટિકલ માઇલ દૂર કોમર્શિયલ કાર્ગો જહાજ પર સવાર 35 સોમાલિયન ચાંચિયાઓ એટલે કે દરિયાઈ ડાકૂઓને નૌકાદળ દ્વારા આત્મસમર્પણ કરવાની ફરજ પડાઈ હતી. એટલું જ નહીં નેવીના જવાનોએ 17 ક્રૂ મેમ્બરને પણ ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય નૌસેનાએ મજબૂત આયોજન સાથે એક ઓપરેશનમાં આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
#IndianNavy thwarts designs of Somali pirates to hijack ships plying through the region by intercepting ex-MV Ruen.
— SpokespersonNavy (@indiannavy) March 16, 2024
The ex-MV Ruen, which had been hijacked by Somali pirates on #14Dec 23, was reported to have sailed out as a pirate ship towards conducting acts of #piracy on high… pic.twitter.com/gOtQJvNpZb
માર્કોસ કમાન્ડો માલવાહક જહાજ પર ઉતર્યા
સોમાલિયન ચાંચિયાઓ સામેના આ ઓપરેશન માટે નૌકાદળે તેના P-8I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ, ફ્રન્ટલાઈન વોર જહાજો INS કોલકાતા અને INS સુભદ્રાને તૈનાત કર્યા અને માનવરહિત એરક્રાફ્ટ વડે તેમનું નિરીક્ષણ કર્યું. આ પછી માર્કોસ કમાન્ડોને ઓપરેશન માટે C-17 એરક્રાફ્ટથી કોમર્શિયલ જહાજ પર ઉતારવામાં આવ્યા હતા ત્યારબાદ લૂંટારાઓને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી.
Indian Navy Marine Commandos carrying out a major operation to rescue the crew of merchant vessel MV Ruen from pirates: Indian Navy officials pic.twitter.com/JnSAFjhBQ3
— ANI (@ANI) March 16, 2024
શું કહ્યું નૌકાદળના પ્રવક્તાએ ?
નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે કહ્યું કે, છેલ્લા 40 કલાકમાં INS કોલકાતાએ જોરદાર ઓપરેશન દ્વારા તમામ 35 ચાંચિયાઓને સફળતાપૂર્વક ઘેરી લીધા અને તેમને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા. માર્કોસ કમાન્ડોએ તે જહાજમાંથી 17 ક્રૂ સભ્યોને કોઈ પણ પ્રકારની ઈજા વિના સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. નૌકાદળે જણાવ્યું હતું કે, સોમાલિયાના પૂર્વ કિનારે આવેલા સમુદ્રમાં જહાજોને હાઇજેક કરવાના સોમાલી ચાંચિયાઓના એક જૂથના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા કારણ કે નૌકાદળે તેમના જહાજને આગળ વધતા અટકાવ્યું હતું. નૌકાદળે કહ્યું કે સશસ્ત્ર ચાંચિયાઓએ રુએન નામના માલવાહક જહાજ પર સવારી કરી હતી જેને લગભગ ત્રણ મહિના પહેલા હાઇજેક કરવામાં આવ્યું હતું.
INS Kolkata, in the last 40 hours, through concerted actions successfully cornered and coerced all 35 Pirates to surrender & ensured the safe evacuation of 17 crew members in the evening today, 16th March from the pirate vessel without any injury. pic.twitter.com/0eOrr9onyV
— ANI (@ANI) March 16, 2024
વધુ વાંચો: દિવંગત સિંગર સિદ્ધૂ મૂસેવાલાના ઘેર ગૂંજી કિલકારીઓ, માએ આપ્યો છોકરાને જન્મ
14 ડિસેમ્બરે કાર્ગો જહાજ કરાયું હતું હાઇજેક
નેવીના જણાવ્યા અનુસાર MV રુએન નામના જહાજને સોમાલી ચાંચિયાઓએ ગયા વર્ષે 14 ડિસેમ્બરે હાઇજેક કર્યું હતું. નૌકાદળને ખબર પડી કે આ જહાજ દ્વારા દરિયામાં ચાંચિયાઓ ચાંચિયાગીરીની ગતિવિધિઓને અંજામ આપવા માટે આવ્યા છે, ત્યારબાદ નેવીએ આ ઓપરેશન હાથ ધર્યું અને 35 સોમાલિયન ચાંચિયાઓએ આત્મસમર્પણ કરવું પડ્યું. નેવીએ ઉત્તર અને મધ્ય અરબી સમુદ્ર સહિત મહત્વના દરિયાઈ માર્ગો પર વેપારના હિતોની સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા કામગીરીના ભાગરૂપે યુદ્ધ જહાજો અને સર્વેલન્સ એરક્રાફ્ટની તૈનાતી પહેલેથી જ વધારી દીધી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં હુથી આતંકવાદીઓએ લાલ સમુદ્રમાં માલવાહક જહાજો પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા તેના પર વૈશ્વિક ચિંતા વધી
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir