Team VTV10:12 AM, 16 Jun 22
| Updated: 10:14 AM, 16 Jun 22
દેશમાં છેલ્લા 24 કલાક કરતાં લગભગ 4 હજાર વધુ કોરોના કેસ નોંધાયા છે, આમ લાંબા સમય બાદ દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.
ભારતમાં કોરોનાના કેસમાં આવ્યો મોટો ઉછાળો
છેલ્લા 24 કલાકમાં દેશમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા
દેશમાં સક્રિય કેસોની સંખ્યા 58 હજારથી વધુ થઈ
ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.
ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે એક દિવસ પહેલા કરતા લગભગ 4 હજાર વધુ છે. કુલ 12,213 નવા કોરોના કેસ નોંધાયા છે. આ પછી, સક્રિય કેસોની સંખ્યા 58 હજારથી વધુ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 11 દર્દીઓના મોત પણ નોંધાયા છે.
#COVID19 | India reports 12,213 new cases & 7,624 recoveries, in the last 24 hours.
છેલ્લા 24 કલાકમાં કુલ 7624 લોકો કોરોનાથી સાજા થયા છે અને ડિસ્ચાર્જ થયા છે. નવા કેસ પછી, કોરોના કેસની કુલ સંખ્યા 4,32,57,730 પર પહોંચી ગઈ છે. બીજી તરફ અત્યાર સુધીમાં 4,26,74,712 લોકો સાજા થયા છે. કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 5,24,803 પર પહોંચી ગયો છે. ભારતમાં પણ રસીકરણ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 1,95,67,37,014 રસીકરણ થયું છે.
કોરોના કેસો વધતાં સમગ્ર દેશમાં રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે
મહત્વનું છે કે, ગુરુવારની સરખામણમીમાં બુધવારના આંકડાઓ પર નજર કરીએ તો 15 જૂને દેશમાં લગભગ 8 હજાર કોરોના કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી, આ આંકડો સતત 8 હજારની નજીક હતો, પરંતુ હવે કોરોનાના કેસોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. સતત વધી રહેલા કોરોના કેસને કારણે હવે ચોથા લહેરનો ખતરો છે. તેથી જ સમગ્ર દેશમાં રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.