બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Mayur
Last Updated: 11:05 AM, 24 February 2022
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીના આદેશ વચ્ચે હવે ભારતે પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
યુદ્ધને તાત્કાલિક સ્થગિત કરવાની અપીલ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે અમે યુદ્ધને તાત્કાલિક સ્થગિત કરવાની અપીલ કરીએ છીએ, પરિસ્થિતિ મોટા સંકટમાં ફેરવાઈ જવાની અણી પર છે. જો તેને કાળજીપૂર્વક સંભાળવામાં ન આવે તો તે વિશ્વની સુરક્ષાને નબળી પાડી શકે છે.
વાતચીત દ્વારા ઉકેલનો ઉપાય
તમામ પક્ષકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખવી જોઈએ. અમે તમામ પક્ષોને સંયમ રાખવા હાકલ કરીએ છીએ, એમ તેમણે કહ્યું. અમે માનીએ છીએ કે રાજદ્વારી વાતચીત દ્વારા જ આ મુદ્દાને ઉકેલી શકાય છે.
हम तत्काल डी-एस्केलेशन का आह्वान करते हैं, स्थिति एक बड़े संकट में तब्दील होने के कगार पर है। अगर इसे सावधानी से नहीं संभाला जाता तो यह सुरक्षा को कमजोर कर सकता है। सभी पक्षों की सुरक्षा को ध्यान में रखा जाना चाहिए: संयुक्त राष्ट्र में भारत के स्थायी प्रतिनिधि टी.एस. तिरुमूर्ति pic.twitter.com/ILSQgFEyjm
— ANI_HindiNews (@AHindinews) February 24, 2022
રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સામે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આદેશ જારી કરતા પુતિને કહ્યું કે જો યુક્રેન પીછેહઠ નહીં કરે તો યુદ્ધ થશે. પુતિને યુક્રેનની સેનાને જલદી શસ્ત્રો નીચે મૂકવાની ધમકી આપી હતી, નહીં તો યુદ્ધ ટાળી શકાય નહીં.
અન્ય દેશોને પણ ધમકી
પુતિને કહ્યું હતું કે જે દેશ રશિયા-યુક્રેન વિવાદની વચ્ચે આવશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે જે કોઈ પણ આપણા દેશ અને આપણા લોકો માટે ખતરો ઉભો કરવાનો પ્રયાસ કરે છે તેણે જાણવું જોઈએ કે રશિયા તેનો જવાબ તાત્કાલિક હશે અને વિશ્વને એવા પરિણામો તરફ લઈ જશે જે તેના ઈતિહાસમાં પહેલા ક્યારેય બન્યું નથી એવું પણ બનશે.
યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈને બીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી
ભારતમાં યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સના એક અધિકારીએ જણાવ્યું કે યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (UIA) ની વિશેષ ફ્લાઈટ આજે સવારે 7:45 કલાકે દિલ્હી એરપોર્ટ પર વિદ્યાર્થીઓ સહિત 182 ભારતીય નાગરિકો સાથે ઉતરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh