ભારતનો કેનેડા સાથે રાજનૈતિક વિવાદ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિમાં સૂચના તથા પ્રસારણ મંત્રાલયે મીડિયા પ્લેટફોર્મ માટે એક રિમાઈન્ડર જાહેર કર્યું છે.
ભારતનો કેનેડા સાથે રાજનૈતિક વિવાદ ચાલી રહ્યો છે
ભારત સરકારની ટીવી ચેનલોને સલાહ
‘ડિબેટમાં દુશ્મન દેશોને બોલાવશો નહીં...’
ભારતનો કેનેડા સાથે રાજનૈતિક વિવાદ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિમાં સૂચના તથા પ્રસારણ મંત્રાલયે મીડિયા પ્લેટફોર્મ માટે એક રિમાઈન્ડર જાહેર કર્યું છે. સરકારે ટીવી ચેનલોને દેશના દુશ્મનોને ડિબેટમાં ના બોલાવવાની સલાહ આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે, તાજેતરમાં એક એવા વ્યક્તિને ટીવી પર ચર્ચા માટે બોલાવવામાં આવ્યો હતો, જેના પર અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે.
ગુરુવારે જણાવવામાં આવ્યું હતું કે, ‘મંત્રાલયે નોંધ્યું છે કે, વિદેશના એક વ્યક્તિને ટેલીવિઝન ચેનલ પર ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો. તે વ્યક્તિ સામે આતંકવાદ સહિત અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે અને ભારતમાં પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલ છે. તે વ્યક્તિએ પણ જે નિવેદન આપ્યું તે ભારતની સંપ્રભુતા, અખંડતા, ભારતની સુરક્ષા, વિદેશી દેશની સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો માટે જોખમી હતું. જેમાં દેશમાં સાર્વજનિક વ્યવસ્થાને બગાડવાની સંભાવની હતી.’
Govt of India issues an advisory for television channels to refrain from giving any platform to reports/references about and views/agenda of persons of such background including those against whom there are charges of serious crimes/terrorism and belonging to organizations which… pic.twitter.com/DEjCSymmAr
એક અધિકૃત જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ટીવી ચેનલોને સલાહ આપવામાં આવે છે કે, આ પ્રકારની વ્યક્તિઓને કોઈપણ પ્રકારનું મંચ ના આપવામાં આવે છે. જે લોકો સામે ગંભીર અપરાધ અને આતંકવાદના આરોપ છે, તેઓ પણ શામેલ છે. સરકાર મીડિયાની સ્વતંત્રતા જાળવી રાખે છે અને તેના અધિકારોનુ સમ્માન કરે છે. ટીવી ચેનલે કન્ટેન્ટ પ્રસારિત કરવા માટે CTN અધિનિયમ, 1995ની જોગવાઈનું પાલન કરવું જોઈએ. જેમાં ધારા 20 (2) શામેલ છે.’
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની અલગાવવાદી નેતા સિંહ નિજ્જની હત્યા બાબતે કૂટનીતિક વિવાદ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિમાં સરકારનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના આરોપ મુક્યો હતો કે, સિંહ નિજ્જની હત્યામાં ભારતીય એજન્ટની સંભવિત ભૂમિકા છે, ત્યાર પછી આ વિવાદ ઉભો થયો છે. ભારતે આ આરોપને પાયાવિહોણો ગણાવ્યો હતો. ત્યારપછી કેનેડાએ ભારતીય અધિકારીને નિષ્કાસિત કર્યા હતા. ત્યારપછી ભારતે કેનેડાને રાજદૂતને નિષ્કાસિત કર્યા હતા. ભારતે કેનેડામાં ભારત વિરોધી એક્ટિવિટીની ટીકા કરી હતી અને કેનેડામાં ટ્રાવેલ અધિકારીઓને સાવધાની રાખવાની સલાહ આપી હતી.