બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs ENG: India's two veteran players out of fourth Test, Mukesh Kumar gets chance
Last Updated: 11:57 PM, 20 February 2024
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રીલીઝ કરવામાં આવ્યો છે. રાંચી ટેસ્ટ પહેલા, બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફાર્મ એક્સ પર માહિતી આપી હતી કે બુમરાહને રીલીઝ કરવામાં આવ્યો છે અને તેના સિવાય કેએલ રાહુલ ઈજાને કારણે ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે..સાથે જ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવેલા મુકેશ કુમાર રાંચીમાં ભારતીય ટીમમાં સામેલ થઈ ગયા છે.
ADVERTISEMENT
વર્કલોડને નિયંત્રિત કરવા બુમરાહને રિલિઝ કરાયો
બીસીસીઆઈએ માહિતી આપી છે કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને રાંચીમાં રમાનાર ચોથી ટેસ્ટ માટે રિલીઝ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે બુમરાહને વર્કલોડને નિયંત્રિત કરવા માટે આરામ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કે.એલ. રાહુલ ઇજાને કારણે બહાર
તેના સિવાય કેએલ રાહુલને ચોથી ટેસ્ટ માટે બહાર કરવામાં આવ્યો હતો. કેએલ રાહુલ ઈજાના કારણે રાંચી ટેસ્ટ રમી શકશે નહીં. ત્રીજી ટેસ્ટ પહેલા કેએલ રાહુલની જગ્યાએ દેવદત્ત પડિક્કલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં, પડિક્કલ ચોથી ટેસ્ટ માટે પણ ટીમ સાથે જોડાયેલા રહેશે અને તેને રાંચી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક પણ મળી શકે છે. આ સાથે જ મુકેશ કુમાર કે જેઓ રાજકોટ ટેસ્ટ માટે ટીમમાં સામેલ ન હતા. તેને ચોથી ટેસ્ટ માટે ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
IND vs ENG 4થી ટેસ્ટ: ચોથી ટેસ્ટ માટે ભારતની ટીમ
ADVERTISEMENT
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટ), કેએસ ભરત (વિકેટ), દેવદત્ત પડિકલ, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.