બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / In Saharanpur, Uttar Pradesh, PM Modi told voters a big thing

રાજકારણ / "ઉત્તરપ્રદેશને રમાખાણોથી મુક્ત રાખનારને જ મત આપજો" સહારનપુરમાં PM મોદીનું મોટું નિવેદન

Ronak

Last Updated: 03:25 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં આજે પીએમ મોદીએ સંબોધન આપ્યું જેમા તેમણે લોકોને કહ્યું કે યુપીને જે રમાખાણોથી મુક્ત રાખી શકે તેમનેજ તમારો મત આપજો

  • સહારનપુરમાં પીએમ મોદીનું સંબોધન 
  • મતદાતાઓ જોડે પીએમ મોદીએ માગી માફી 
  • ચૂંટણી જાહેર પછી આવી ન શક્યા તેને લઈ માફી માગી 

વડાપ્રધાન મોદી આજે સહારપુરમાં જનતાને સંબોધન આપવા પહોચ્યા હતા. જ્યા તેમણે સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે પહેલાની સરકારમાં ધમાલ થતી હતી. પરંતુ હવે કોઈ પણ પ્રકારની ધમાલ નથી થતી. માટે રાજ્યને અસામાજિક તત્વોથી દૂર રાખવા માટે વોટ ભાજપને આપવો જરૂરી છે. 

મતાદાતાઓ પાસે માફી માગી 

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કાના મતાદાતાઓને હું માફી માગું છું કારણકે મારી ફરજ હતી ચૂંટણી જાહેર થયા બાદ તમારી વચ્ચે આવું.  પરંતુ હું ન આવી શક્યો કારણકે ચૂંટણી પંચે અમુક મર્યાદાઓ રાખી હતી. 

બહેન દિકરીઓને ભય મુક્ત રાખે તેને વોટ અપાય: PM મોદી 

પીએમ મોદીએ કહ્યું કે ઘોર પરિવારવાદી લોકો સરકારમાં હોત તો વેક્સિન રસ્તામાં જ વેચાઈ જતી અને કોરોના સામેની લડાઈ તમારા માટે મુશ્કેલ બની જતી. સાથેજ તેમણે કહ્યું જે આપણી બહેન અને દિકરીઓને ભય મુક્ત રાખે તેનેજ આપણે વોટ આપીશું અને જે અપરાધીઓને જેલ મોકલશે તેનેજ વોટ આપીશું. 

યોગી સરકારે યુપીમાં રસ્તાઓ જોડ્યા: PM મોદી 

આ સીવાય પીએમ મોદી બોલ્યા કે સીએમ યોગીના નેતૃત્વમાં યુપીમાં સારા રસ્તાઓ બન્યા છે. જેમા ગંગા એક્સપ્રેસ વે, દિલ્હી -દેહરાદૂન એક્સપ્રેસ વે , દિલ્હી યમુનોત્રી હાઈવે, દિલ્હી સહારનપુર ફોરલેન, સહારનપુર એરપોર્ટ જેવા મોટા કામ સીએમ યોગીએ કર્યા છે. જે અત્યાર સુધીમાં કોઈ સરકારે નથી કર્યા.

શેરડીના ખેડૂતો માટે કહી મોટી વાત 

શેરડીના ખેડૂતોને લઈને પીએમ મોદીએ કહ્યું કે ભારતના બજારમાં ખાંડનું ઉત્પાદન વધે તો પણ ભારતના ખાંડના કારખાનાઓ ખાંડનું ઉત્પાદન કરતા ડરે છે. કારખાના બંધ કરે છે. જેના કારણે શેરડીના ખેડૂતોને ભારે તકલીફ પડે છે. જેથી ભાજપ શેરડીના ખેડૂતોને રાહત આપવાનો સ્થાયી ઉપાય પણ કરી રહી છે. સાથેજ તેમણે કહ્યું કે શેરડીથી માત્ર ખાંડ બને છે તેવું નથી પણ જરૂર પડશે તો ઈથેનોલ પણ બનાવીશું પરંતુ શેરડીના ખેડૂતોને હેરાન નહી થવા દઈએ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ