બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / in galwan valley clash china lost many soldiers drowned into river
Mayur
Last Updated: 11:01 AM, 3 February 2022
ઓસ્ટ્રેલિયન અખબારે સમગ્ર મામલાની તપાસ માટે સોશિયલ મીડિયા રિસર્ચર્સની એક આખી અલગ ટીમ તૈયાર કરી હતી. જેણે 'ગલવાન ડીકોડેડ' નામનો અહેવાલ બહાર પાડ્યો હતો. જેના વિશેષ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના ઘણા સૈનિકો તે રાત્રે ગાલવાન નદીમાં તણાઈ ગયા હતા. આ સંશોધન અહેવાલે ડ્રેગનના તમામ દાવાઓને ધ્વસ્ત કરી દીધા હતા.
ચીનના સૈનિકો નદીમાં ડૂબી ગયા
આ સાથે જ રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે ખીણમાં ગલવાન નદી પાર કરતી વખતે ઘણા ચીની સૈનિકો ડૂબી ગયા હતા, જે બાદ તેમનું મોત થયું હતું. સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનને ભારે નુકસાન થયું છે.
ચીનને ભારે નુકસાન થયું હતું
"ચીનને નુકસાનના દાવા નવા નથી, પરંતુ સોશિયલ મીડિયાના સંશોધકોના એક જૂથ દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવાઓ જેના પર ધ ક્લેક્સનના સમાચાર આધારિત છે, તેનાથી એવું જણાય છે કે ચીનને નુકસાન ઘણું વધારે થયું છે." અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીને ચાર સૈનિક ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું, પણ આંકડો તેનાથી વધારે છે' અહેવાલમાં તેમણે ઉમેર્યું હતું કે, તે એ પણ દર્શાવે છે કે બેઇજિંગ અથડામણ અને નુકસાન અંગે ચર્ચા ન કરવા માટે કેટલી હદે જઈ શકે છે.
સંશોધકો અને ચાઇનીઝ બ્લોગર્સે ખુલાસો કર્યો
ઓસ્ટ્રેલિયાના અખબાર 'ધ ક્લેક્સન'એ ચીનના અનામી સંશોધકો અને બ્લોગર્સને ટાંક્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેણે સુરક્ષાના કારણોસર પોતાનું નામ જાહેર કર્યું નથી, પરંતુ તેને જે જાણવા મળ્યું તેના પરથી ગલવાન ઘટના અંગે ઘણા ખુલાસા થયા છે.
વર્ષ 2020થી સરહદ પર વિવાદ
તમને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વિવાદ મે 2020 માં શરૂ થયો હતો, જ્યારે ચીને લદ્દાખમાં અક્સાઈ ચીનની ગલવાન ઘાટીમાં ભારત દ્વારા રસ્તાના નિર્માણ પર વાંધો ઉઠાવ્યો હતો. 5 મે 2020 ના રોજ, ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પછી સૈન્ય અવરોધ ફાટી નીકળ્યો.
20 ભારતીય જવાનો શહીદ થયા હતા
5 મેની ઘટના બાદ 9 મેના રોજ સિક્કિમના નાથુ લામાં ભારતીય સૈનિકો સાથે ચીની સૈનિકોની ઝપાઝપી થઈ હતી જેમાં ઘણા સૈનિકો ઘાયલ થયા હતા. આ પછી, 15 જૂને લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh