બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important decision of ST department regarding Ambaji Mela, 1100 extra buses allocated
Vishnu
Last Updated: 05:22 PM, 7 September 2022
કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાતાં લાખો માંઈ ભક્તો જાણે તમામ ખોટ પૂરી કરવા માગતા હોય તે રીતે અંબાજીમાં હર્ષ અને આસ્થાનો માહોલ જામ્યો છે. પૂનમના મહામેળાના ત્રીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર અંબાજી તરફ અવિરત આગળ વધી રહ્યું છે..જય અંબે જય અંબે ની ગૂંજ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ ગૂજી ઊઠી છે.
1100 એક્સ્ટ્રા બસો અંબાજી રુટમાં ફાળવાઈ
અંબાજીમાં પૂનમના મેળામાં જવા માંગતા લોકોને લઈ એસટી વિભાગે ખાસ આયોજન કર્યુ છે. એસટી વિભાગે ભક્તો માટે 1100 એક્સ્ટ્રા બસો ફાળવી છે. આ તમામ એક્સ્ટ્રા બસો 11મી સપ્ટેમ્બર ભાદરવી પૂનમ સુધી ચાલશે. તેમજ મેળાને લઈ દરેક અધિકારીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં યાત્રાળુઓને બસની સુવિધાની સાથે પાણીની , શેડની અને માર્ગદર્શન માટે મદદ મળી રહે તે માટે અત્યારથી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભક્તોને સુવિધા મળી રહે અને કૉઈ તકલીફ ન પડે તેને લઈને વ્યવસ્થાઓ ગોઠવાઈ છે.
ભક્તો માટે સેવા કેમ્પો
ભક્તોને કોઇ તકલીફ ન પડે તે માટે સેવા કેમ્પ દ્વારા સેવા આપવામાં આવી રહી છે. અંબાજી જતા માર્ગ પર ત્રિસૂલિયા ઘાટ સૌથી કઠિન માર્ગ હોય છે. અને ત્યાં જ લોકો આરામ કરતા હોય છે. ત્યારે આ જગ્યાએ અંબિકા વિસામો કેમ્પ દ્વારા લોકોની સેવા કરવામાં આવે છે. આરામ કરવા માટે ગાદલા મૂકવામાં આવ્યા છે. અને ઠંડક માટે કૂલર પણ મૂકવામાં આવ્યું છે. તો સાથે જ ખીચડી, ચા, નાસ્તો, ગાંઠિયા સહિતના ભોજન પ્રસાદ પણ આપવામાં આવે છે.
5 લાખ ભક્તોએ 2 દિવસમાં દર્શન કર્યા
મેળાના બે દિવસ દરમિયાન પાંચ લાખ જેટલા ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી છે જોકે જોકે હજુ પણ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહે છે. આ વખતે માના દર્શન માટે 25 લાખથી વધુ ભક્તો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા