બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / If Ahmedabad is renamed as Karnavati, the heritage status will be taken away
Vishal Khamar
Last Updated: 10:07 AM, 28 February 2024
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગત રોજ સાંજે પત્રકારો સાથે અનઔપચારીક વાતચીત કરી હતી. જેમાં તેઓએ કહ્યુ કે, અમે લોકોના વધુ સારી રીતે કામ કરી શકીએ તે માટે અમે સૌ કોઈના સૂચનોને આવકારીએ છીએ. જ્યાં પણ અમારી કોઈ ખામીઓ હોય તો અમને બતાવજો. રચનાત્મક ટીકાઓ હશે તો પણ અમે તેને સારી રીતે લઈશુ. વડાપ્રધાન મોદી જ્યારે જે કોઈ વચનો આપે છે તેને પૂર્ણ કરે છે. મોદીની ગેરેન્ટી પર નાગરીકોને પૂરતો ભરોસો છે. જેને કારણે જ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અત્યાર સુધીમાં ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં જેટલા પણ વચનો આપ્યા છે તેને ધીમેધીમે પૂર્ણ કરાઈ રહ્યાં છે.
પશ્ચિમ રેલવે મથકને વડુ મથક બનાવવાની પણ વિચારણા
અમદાવાદમાં પશ્ચિમ રેલવે મથકને વડુમથક બનાવવામાં આવે તેની પણ વિચારણા ચાલી રહી છે. ભાજપ દ્રારા ઘણા વર્ષોથી ચૂંટણી સમયે વચન આપવામાં આવતા હોય છે કે, અમદાવાદનુ નામ બદલીને કર્ણાવતી કરાશે. તો પછી અમદાવાદનુ નામ બદલીને કર્ણાવતી કેમ નથી કરાતુ, નામ ક્યારે બદલાશે ? જેના જવાબમાં સી આર પાટિલે કહ્યુ કે, નામ બદલવામાં કોઈ જ વાંધો નથી પરંતુ એક ટેકનિકલ પ્રશ્ન આડો આવે છે.
વધુ વાંચોઃ લોકસભા માટે 450 જેટલા નામો પર CM આવાસ પર મંથન શરૂ, આ પ્રક્રિયામાંથી પાસ થશે તે નામો દિલ્હી મોકલાશે
આ સંદર્ભે સરકાર દ્વારા લોકોનો પ્રતિભાવ લેવાશે
અમદાવાદને હેરીટેજ શહેરનો દરજ્જો મળી ગયો છે. જો નામ બદલી દેવામાં આવશે તો હેરીટેજનો દરજ્જો પણ છીનવાઈ જશે. જેથી હવે લોકોએ નક્કી કરવાનુ છે કે, નામ બદલવુ છે કે, હેરીટેજનો દરજ્જો જાળવી રાખવો છે. નામ બદલવામાં અને નહી બદલવામાં કેટલાક ફાયદા અને નુકસાન છે. આમછત્તા આ સંદર્ભમાં સરકાર દ્રારા લોકોનો પ્રતિભાવ લેવાશે.ત્યાર બાદ તેનો નિર્ણય લેવાશે. લોકો તરફથી જે કંઈ સૂચનો આવશે તેમાંથી જેનો અમલ કરી શકાય એમ હોય તેવા કામો કરી દેવાશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh