બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / If Ahmedabad is renamed as Karnavati, the heritage status will be taken away

ગાંધીનગર / આખરે અમદાવાદનું નામ કેમ નથી બદલાઇ રહ્યું? ક્યારે કરાશે કર્ણાવતી? પાછળ રહેલું છે આ ચોંકાવનારું કારણ

Vishal Khamar

Last Updated: 10:07 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી અમદાવાદનું નામ બદલીના કર્ણાવતી કરવાનો સુર ઉઠવા પામ્યો છે. જેને લઈ સરકાર દ્વારા આગામી સમયમાં લોકોનાં પ્રતિભાવ લીધા બાદ નિર્ણય કરવામાં આવશે. એવું ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગત રોજ સાંજે પત્રકારો સાથે અનઔપચારીક વાતચીત કરી હતી. જેમાં તેઓએ કહ્યુ કે, અમે લોકોના વધુ સારી રીતે કામ કરી શકીએ તે માટે અમે સૌ કોઈના સૂચનોને આવકારીએ છીએ. જ્યાં પણ અમારી કોઈ ખામીઓ હોય તો અમને બતાવજો. રચનાત્મક ટીકાઓ હશે તો પણ અમે તેને સારી રીતે લઈશુ. વડાપ્રધાન મોદી જ્યારે જે કોઈ વચનો આપે છે તેને પૂર્ણ કરે છે. મોદીની ગેરેન્ટી પર નાગરીકોને પૂરતો ભરોસો છે. જેને કારણે જ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અત્યાર સુધીમાં ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં જેટલા પણ વચનો આપ્યા છે તેને ધીમેધીમે પૂર્ણ કરાઈ રહ્યાં છે.

ahmedabad kalupur railway station pri-paid parking now close

પશ્ચિમ રેલવે મથકને વડુ મથક બનાવવાની પણ વિચારણા
અમદાવાદમાં પશ્ચિમ રેલવે મથકને વડુમથક બનાવવામાં આવે તેની પણ વિચારણા ચાલી રહી છે.  ભાજપ દ્રારા ઘણા વર્ષોથી ચૂંટણી સમયે વચન આપવામાં આવતા હોય છે કે, અમદાવાદનુ નામ બદલીને કર્ણાવતી કરાશે. તો પછી અમદાવાદનુ નામ બદલીને કર્ણાવતી કેમ નથી કરાતુ, નામ ક્યારે બદલાશે ?  જેના જવાબમાં સી આર પાટિલે કહ્યુ કે, નામ બદલવામાં કોઈ જ વાંધો નથી પરંતુ એક ટેકનિકલ પ્રશ્ન આડો આવે છે.

વધુ વાંચોઃ લોકસભા માટે 450 જેટલા નામો પર CM આવાસ પર મંથન શરૂ, આ પ્રક્રિયામાંથી પાસ થશે તે નામો દિલ્હી મોકલાશે

આ સંદર્ભે સરકાર દ્વારા લોકોનો પ્રતિભાવ લેવાશે

અમદાવાદને હેરીટેજ શહેરનો દરજ્જો મળી ગયો છે. જો નામ બદલી દેવામાં આવશે તો હેરીટેજનો દરજ્જો પણ છીનવાઈ જશે. જેથી હવે લોકોએ નક્કી કરવાનુ છે કે, નામ બદલવુ છે કે, હેરીટેજનો દરજ્જો જાળવી રાખવો છે. નામ બદલવામાં અને નહી બદલવામાં કેટલાક ફાયદા અને નુકસાન છે. આમછત્તા આ સંદર્ભમાં સરકાર દ્રારા લોકોનો પ્રતિભાવ લેવાશે.ત્યાર બાદ તેનો નિર્ણય લેવાશે.  લોકો તરફથી જે કંઈ સૂચનો આવશે તેમાંથી જેનો અમલ કરી શકાય એમ હોય તેવા કામો કરી દેવાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ