બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / How helpless is this? 7 people lost their lives in a single day in Surat

કરૂણતા / અરેરેરે! આ કેવી લાચારી? સુરતમાં એક જ દિવસમાં 7 લોકોએ જીવન ટૂંકાવ્યું, કારણ છે ચોંકાવનારા

Priyakant

Last Updated: 09:39 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Suicide News: સુરતમાં અલગ-અલગ વ્યક્તિઓને કોઇને કોઈ કારણસર પોતાનું જીવન ટૂંકાવી દીધું,  તણાવ અને બેરોજગારી મુખ્યકારણ હોવાનું સામે આવ્યું

  • વરસાદી વાતાવરણ વચ્ચે સુરતથી એક ચોંકાવનારા સમાચાર 
  • સુરત શહેરમાં એક જ દિવસમાં 7નો આપઘાત 
  • તણાવ અને બેરોજગારી મુખ્યકારણ 

ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક જ દિવસમાં 7 લોકોએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. 7 અલગ-અલગ વ્યક્તિઓને કોઇને કોઈ કારણસર પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જોકે આ તમામ આપઘાત પાછળ તણાવ અને બેરોજગારી મુખ્યકારણ હોવાનું સામે આવ્યું છે. 

File Photo

એક જ દિવસમાં 7 લોકોએ આત્મહત્યા 
સુરત શહેરમાં એક જ દિવસમાં 7 લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ તરફ હવે તણાવ અને બેરોજગારી આપઘાતનું મુખ્યકારણ હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ મીનાબહેને સંતાનો વિદેશમાં હોવાથી તણાવમાં જીવન ટૂંકાવ્યુ તો અનિલ માંડહાકાએ બેરોજગારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું હતું. 

File Photo

આ સાથે ભૂપત આહીરે અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. તો વિજય ગીરાસેએ બિમારીને કારણે ગળેફાંસો ખાઈ અને સાહીલ શેખે ઘરમાં ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી છે. આ સાથે પ્રતિક પરમારે  ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. આ તરફ સુરતમાં એક જ દિવસમાં 7 લોકોએ જીવન ટૂંકાવી લેતા ચિંતાનો વિષય બન્યો છે.

File Photo 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ