બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hospital built for lumpy cows in 5 days by builder of Banaskanth
Kishor
Last Updated: 11:33 PM, 19 August 2022
બનાસકાંઠામાં ઘણા સમયથી પશુઓમાં આવેલ લમ્પી વાયરસના કારણે જિલ્લામાં અનેક ગાયોના મોત થયા છે. લમ્પી વાયરસની સારવાર માટે અલગ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થિતિ મુશ્કેલ બની હતી. ત્યારે આ દરમિયાન ટેટોડા ગામ ખાતે રાજારામ ગૌશાળામાં ડીસાના જાણીતા બિલ્ડર અને જીવદયા પ્રેમી પી.એન.માળી દ્વારા 5 દિવસમાં જ લમ્પી વાયરસ માટે અલગ હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી છે.
5 દિવસમાં જ ઉભી કરી દેવાઇ હોસ્પિટલ
બનાસકાંઠામાં લમ્પી વાયરસના કારણે અનેક ગાયોના મૃત્યુ થયા છે ત્યારે અનેક ગાયો પીડાઈ રહી છે. જેને લઇને પશુપાલકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે આ વાયરસની સારવાર માટે કોઈ જ અલગ વ્યવસ્થા ન હતી ત્યારે ટેટોડા ખાતે આવેલ રાજારામ ગૌશાળામાં ડીસાના જાણીતા બિલ્ડર અને જીવદયાપ્રેમી પી એન માળીએ લંમ્પી વાયરસ માટે અલગ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું છે. જેમાં લંમ્પી વાયરસ ગ્રસ્ત ગાયોને સારવાર માટે અલગ વ્યવસ્થા ઊભી કરાઇ છે. જોકે આ ગૌશાળામાં અમદાવાદમાંથી 120 ઉપરાંત પશુઓ વાયસરગ્રસ્ત સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. વધુમાં જિલ્લાભરમાંથી આ વાયરસ ગ્રસ્ત પશુઓને સારવાર અપાઇ રહી છે. જે હવે આ અલગ હોસ્પિટલમાં સારવાર લેશે જેના કારણે અન્ય પશુઓને ચેપ લાગતો અટકશે.
કલેકટરે વહીવટી તંત્ર વતી દાતાનો માન્યો આભાર
આ લંમ્પીગ્રસ્ત ગાયો માટે હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેકટર આનંદ પટેલ હાજર રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે સેવાકીય પ્રવૃતિમાં બનાસકાંઠા હંમેશા અગ્રેસર રહ્યું છે. જેમાં માનવસેવા હોય કે જીવદયા હોય કે કોઈ કુદરતી આફત હોય ત્યારે લંમ્પીગ્રસ્ત પશુઓ માટે દાતા દ્વારા બનાવવામાં આવેલ આ હોસ્પિટલ ખરેખર સહાનીય કામગીરી છે અને દાતા પી એન માળીને અભિનંદન પાઠવી આભાર પણ વહીવટી તંત્ર દ્વારા માનવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ