બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / HCL HEAD SHIV NADAR IS AT TOP OF THE PHILANTHROPHY LIST
Vaidehi
Last Updated: 05:40 PM, 20 October 2022
ભારત દેશનાં સૌથી મોટા દાનવીર અરબપતિઓની લિસ્ટમાં હવે શિવ નાદર સૌથી આગળ છે. એડલગિવ હુરૂન ઇન્ડિયા ફિલેંથ્રોપી લિસ્ટ 2022 મુજબ આઈટી કંપની HCLનાં ફાઉન્ડરે સૌથી વધુ વાર્ષિક દાન કરેલ છે. અજીમ પ્રેમજીને પણ પાછળ મૂક્યાં છે.
અઝીમ પ્રેમજીને મૂક્યાં પાછળ
અત્યાર સુધી અઝીમ પ્રેમજી દેશનાં સૌથી મોટા દાનવીર માનવામાં આવતાં હતાં. તેઓએ આ વર્ષે 484 કરોડ રૂપિયાનું વાર્ષિક દાન કર્યું હતું પણ શિવ નાદરે વાર્ષિક 1,161 કરોડ રૂપિયાનું દાન કરી પોતાનું નામ લિસ્ટમાં સૌથી ઉપર લઇ આવ્યાં છે. અને અઝીમ પ્રેમજી લિસ્ટમાં બીજા નંબરે આવે છે.
રિપોર્ટ અનુસાર ત્રીજા અને ચોથાં નંબરે ક્રમશ: રિલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણી અને આદિત્ય બિરલાનાં ચેરમેન કુમાર મંગલમ બિરલા છે. બંનેએ અનુક્રમે 411 કરોડ અને 242 કરોડ રૂપિયાનું દાન કરેલ છે.
અદાણીની રેન્કિંગ
આઇટી સેક્ટરનાં દિગ્ગજ કંપનીનાં સુષ્મિતા અને સુબ્રતો બાગચી સિવાય રાધા અને એનએસ પાર્થસારથી 213 કરોડ રૂપિયાનું દાન કરી પાંચમાં સ્થાને આવે છે. અને આવી જ રીતે 190 કરોડ રૂપિયાનું વાર્ષિક દાન કરીને ગૌતમ અદાણી આ વર્ષએ 7માં સ્થાન પર છે. જો કે ગૌતમ અદાણી હાલમાં દેશનાં સૌથી મોટા અરબપતિ છે.
ઇન્ફોસિસથી જોડાયેલા છે દાનવીર
આઇટી કંપની ઇન્ફોસિસ સાથે જોડાયેલ નંદન નીલેકણિ, ક્રિસ ગોપાલકૃષ્ણન, અને એસડી શિબૂલાલે ક્રમશ: 159 કરોડ, 90 કરોડ અને 35 કરોડ રૂપિયાનું વાર્ષિક દાન કરેલ છે. જેમની રેન્કિંગ ક્રમશ: 9,16 અને 28મો છો .
સૌથી યુવાન દાનવીર
રિપોર્ટ અનુસાર જેરોધાનાં 36 વર્ષિય નિખિલ કામથ એડલગિવ હુરૂન ઇન્ડિયા ફિલેંથ્રોપી લિસ્ટ 2022માં સૌથી નાની ઉંમરનાં દાનવીર વ્યક્તિ તરીકે જાહેર થયાં છે. તેણે અને તેમના ભાઇ નિતિન કામથે આ વર્ષે પોતાના દાનને 300% વધારી અને 100 કરોડ રૂપિયાનું દાન કરેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh