બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / Handicap cricket tournament begins in Ahmedabad, India-England T20 series to be played

મેચ / કાલથી અમદાવાદમાં હેન્ડીકેપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ટી 20 સીરિઝ

Dinesh

Last Updated: 10:57 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: ભારત અને ઈંગ્લેન્ડની દિવ્યાંગ ટીમ વચ્ચે અમદાવાદમાં 28થી30 જાન્યુઆરી સુધી પાંચ ટી 20 મેચો રમાવાશે, એક મેચ ગુજરાત કોલેજના ગ્રાઉન્ડમાં અને ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

  • અમદાવાદમાં હેન્ડિકેપ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે
  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાશે ટુર્નામેન્ટ
  • ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ


અમદાવાદ શહેર પ્રથમ વખત હેન્ડીકેપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. જ્યાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરિસર વધુ એક મેચનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. જે સ્ટેડિયમમાં વિવિધ ટીમો વચ્ચે મેચો રમાઈ ચૂકી છે તે સ્ટેડિયમમાં આવતી કાલે ભારત અને ઇંગ્લેન્ડના હેન્ડીકેપ ખેલાડીઓ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાશે. 

ખેલાડીઓએ પ્રેક્ટીસ પણ શરૂ કરી દીધી
જે મેચને લઈને ખેલાડીઓએ પ્રેક્ટીસ પણ શરૂ કરી દીધી છે. ભારત અને ઇંગ્લેન્ડના હેન્ડીકેપ ખેલાડીઓ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે. આ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટની 2 મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બી ગ્રાઉન્ડમાં એક મેચ રેલવેના ગ્રાઉન્ડમાં, એક મેચ ગુજરાત કોલેજના ગ્રાઉન્ડમાં અને ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. તેમજ ભારતના ખેલાડીઓએ પણ મેચમાં સારું પર્ફોર્મન્સ આપવા માટે તૈયારીઓ પણ કરી દીધી છે.

કોણ છે ભારતીય દિવ્યાંગ ટીમનો કેપ્ટન
જીસીએના સેક્રેટરી અનિલ પટેલે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "ટીમો આવી ગઈ છે, અને બધા લોકો તેને મફત જોઈ શકશે. ભારતીય ટીમનો કેપ્ટન વિક્રાંત કેની છે જે મુંબઈનો રહેવાસી છે. 15 સભ્યોની ટીમ ઈન્ડીયામાં જમ્મુ-કાશ્મીરના ચાર, હરિયાણા અને મુંબઈના બે-બે ખેલાડીઓ છે - જેમાંથી એક કેપ્ટન વિક્રાંત કેની છે - અને મહારાષ્ટ્ર, વિદર્ભ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, યુપી અને ગુજરાતના એક-એક ખેલાડી છે. ગુજરાતના વાપીના 22 વર્ષીય રોહન વાઘેલા પણ ટીમમાં સામેલ છે

વાંચવા જેવું:  જૂનાગઢ PIનો મોટો કાંડ, 335 એકાઉન્ટના નકલી દસ્તાવેજો બનાવીને રુપિયા ઉઘરાવ્યાં, ATSની તપાસ

કેટલી મેચો રમાશે 
ભારત અને ઈંગ્લેન્ડની વિકલાંગ ટીમ વચ્ચે પાંચ ટી 20 રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-બી ગ્રાઉન્ડ 28 અને 30 જાન્યુઆરીએ પ્રથમ બે મેચની યજમાની કરશે, ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ ગુજરાત કોલેજ એ મેદાન પર, 3 ફેબ્રુઆરીએ રેલવે ગ્રાઉન્ડ પર મેચનું આયોજન કરવામાં આવશે અને 6 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ