બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 02:50 PM, 14 March 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનરની ખાલી જગ્યાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આજે PM મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા ચૂંટણી કમિશનરને લઈ 2 નામો પર સર્વસંમતિ સધાઈ હોવાનો દાવો વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ કર્યો છે. અધીર રંજન ચૌધરીના કહ્યા મુજબ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુ દેશના બે નવા ચૂંટણી કમિશનર બનશે. નોંધનીય છે કે, ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામા બાદ ચૂંટણી કમિશનરની બીજી જગ્યા ખાલી પડી હતી જ્યારે એક જગ્યા પહેલાથી જ ખાલી હતી.
શું કહ્યું અધીર રંજન ચૌધરીએ ?
ચૂંટણી કમિશનરની પસંદગી માટેની સમિતિની બેઠક બાદ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સમિતિમાં તેમની (સરકાર) બહુમતી છે. અગાઉ તેઓએ મને 212 નામ આપ્યા હતા પરંતુ નિમણૂકની 10 મિનિટ પહેલા તેઓએ મને ફક્ત છ નામ આપ્યા હતા. હું જાણું છું કે ચીફ જસ્ટિસ (CJI) નથી, સરકારે એવો કાયદો બનાવ્યો છે કે CJI દખલ કરી શકે નહીં અને કેન્દ્ર સરકાર પોતાની પસંદગીનું નામ પસંદ કરી શકે. હું એમ નથી કહેતો કે તે મનસ્વી છે, પરંતુ જે પ્રક્રિયાને અનુસરવામાં આવી રહી છે તેમાં કેટલીક ખામીઓ છે.
#WATCH | Gyanesh Kumar from Kerala and Sukhbir Singh Sandhu from Punjab selected as election commissioners, says Congress MP Adhir Ranjan Chowdhury. pic.twitter.com/FBF1q44yuG
— ANI (@ANI) March 14, 2024
કોણ છે જ્ઞાનેશ કુમાર?
જ્ઞાનેશ કુમાર નિવૃત્ત IAS અધિકારી છે. તેઓ થોડા દિવસ પહેલા સહકાર મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા હતા. આ મંત્રાલયની રચના થઈ ત્યારથી જ જ્ઞાનેશે અહીં કામ કર્યું હતું. અગાઉ તેઓ ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગના સંયુક્ત સચિવ હતા. તે દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. જ્ઞાનેશ 1988 બેચના કેરળ કેડરના અધિકારી છે.
કોણ છે સુખબીર સિંહ સંધુ ?
સુખબીર સિંહ સંધુ પણ ભૂતપૂર્વ IAS અધિકારી છે. તેઓ ઉત્તરાખંડ કેડરના 1988 બેચના અધિકારી છે. જ્યારે પુષ્કર સિંહ ધામી 2021 માં મુખ્યમંત્રી બન્યા ત્યારે સંધુને રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh