બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pravin Joshi
Last Updated: 08:52 PM, 15 March 2024
સરકારે જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની જીવન વીમા નિગમના કર્મચારીઓના પગારમાં 17 ટકાના વધારાને મંજૂરી આપી છે. LIC કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય 1 ઓગસ્ટ, 2022થી પ્રભાવી ગણવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી LICના લગભગ 1 લાખ કર્મચારીઓ અને લગભગ 30,000 પેન્શનરોને રાહત મળશે.
LIC of India's Wage Hike News pic.twitter.com/eqWVyAzfnA
— LIC India Forever (@LICIndiaForever) March 15, 2024
બે વર્ષ માટે એરિયર્સ ચૂકવવામાં આવશે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નિર્ણય વિશે માહિતી આપતા LICએ કહ્યું કે કેન્દ્ર સરકારે 1 ઓગસ્ટ, 2022થી 1.10 લાખ કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ વધારા સાથે એલઆઈસી કર્મચારીઓને બે વર્ષનું વેતનનું એરિયર્સ પણ મળશે.એલઆઈસી કર્મચારીઓના પગારમાં વધારો કરવાના નિર્ણયથી વાર્ષિક રૂ.4,000 કરોડનો નાણાકીય બોજ વધશે. આ સાથે LICનો પગાર ખર્ચ પણ વધીને 29,000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
એનપીએસમાં યોગદાન વધ્યું
કેન્દ્ર સરકારે NPSમાં યોગદાન એટલે કે LIC કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કર્યું છે, જે 1 એપ્રિલ, 2010ના રોજ જોડાયેલા 24000 કર્મચારીઓને મોટો ફાયદો થશે.
વધુ વાંચો : 'ગુજરાતમાં જ નહીં આખા દેશમાં ચાલી રહી છે મોદી લહેર', ગાંધીનગરથી અમિત શાહનો ચૂંટણી શંખનાદ
LIC પેન્શનરોને ભેટ
સરકારે 30 LIC પેન્શનરોને એક વખતનું વળતર આપવાની પણ મંજૂરી આપી દીધી છે. આ વળતર LIC પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને આપવામાં આવશે. ભારતીય જીવન વીમા નિગમે પગાર વધારા બદલ સરકારનો આભાર માન્યો છે. ખરેખર, ચૂંટણીની આચારસંહિતા શનિવાર, 16 માર્ચ, 2024 ના રોજથી અમલમાં આવશે, તેથી ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા, સરકારે એલઆઈસી કર્મચારીઓના પગારમાં વધારો કરવા અને પેન્શનરોને વળતર આપવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ, 8.50 લાખ જાહેર ક્ષેત્રના બેંક કર્મચારીઓના પગાર વધારાને મંજૂરી આપવામાં આવી છે, જેની જાહેરાત મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh