બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Khyati
Last Updated: 02:08 PM, 5 March 2022
રાજકોટના પૂર્વ પોલીસ કમિશન મનોજ અગ્રવાલની જૂનાગઢ પોલીસ તાલીમ અકાદમીના આચાર્ય તરીકે બદલી કરવામાં આવી છે. તેઓ પર રાજકોટના ઉદ્યોગપતિ પાસેથી 75 લાખ જેટલી રકમની કટકી કર્યાનો આરોપ લાગ્યો હતો. આ મામલે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આરોપ લગાવતા ફરીથી રાજકારણ ગરમાયુ હતું. જે મામલે ગોવિંદ પટેલે સખત શબ્દોમાં જવાબ આપ્યો.
પહેલા પાર્ટીની ચિંતા કરો- ગોવિંદ પટેલ
ગોવિંદ પટેલે આ મામલે જવાબ આપતા જણાવ્યુ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પહેલા પોતાની પાર્ટીની ચિંતા કરે. વિજયભાઈ સાથે મારે કેટલાક મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ક્યારેય નહીં. રાજકોટ પોલીસના વ્યવહાર સામે પગલાં લીધા છે. લોકોનું હિત તમારે સમજવું જોઈએ. અમારી પાર્ટીની તમે ચિંતા ન કરો.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ લગાવ્યા હતા આરોપ
રાજકોટ કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પોલીસ કમિશનર સામે ભાજપના નેતાઓએ ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કર્યાના આરોપ લગાવ્યા હતા. તેઓએ અરવિંદ રૈયાણી અને ગોવિંદ પટેલ પર પ્રહારો કર્યા હતા કે અંદરોઅંદર વાંધા પડ્યા એટલે હવે બોલો છો. એક ધારાસભ્ય, એક મિનિસ્ટર અને એક સાંસદ બોલે તો પણ એક્શન નહી ? ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપમાં લોકોના પ્રતિનિધીને બોલવા દેવામાં આવતા નથી. ભાજપની સિસ્ટમમાં લોકશાહી ક્યાય છે જ નહી.
શું હતો મામલો ?
રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રાજકોટના ઉદ્યોગપતિ પાસેથી 75 લાખ રૂપિયા જેવી માતબર રકમની કટકી કર્યાનો સનસનીખેજ આરોપ લાગ્યો હતો. આ અંગે ઉદ્યોગપતિએ કરેલી ફરિયાદને આધાર બનાવી અને રાજકોટના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા મોટો વિવાદ સર્જાયો હતો. આ અંગે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ વડાને તપાસ સોંપવામાં આવી હતી. સમગ્ર ઘટના બાદ તાજેતરમાં જ રાજ્યના ગૃહવિભાગ દ્વારા મનોજર અગ્રવાલને જૂનાગઢ પોલીસ તાલિમ અકાદમીના આચાર્ય તરીકે ખાલી પડેલી જગ્યાએ બદલી આપવામાં આવી. ગૃહ વિભાગ દ્વારા શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ રાજકોટમાંથી પોલીસ કમિશનર તરીકે આઈપીએસ મનોજ અગ્રવાલની બદલીનો આદેશ આપવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh