બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Good news for students who failed in 10th
Malay
Last Updated: 12:47 PM, 25 April 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે. શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શાળા સંચાલક મંડળની રજૂઆતને શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી છે. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ પરિપત્ર જાહેર કરવામાં આવશે.
કોના માટે લાગુ કરાશે આ નિયમ?
5 વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરીથી લાગુ થયા બાદ અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ વર્ષે એટલે કે 2023થી ધોરણ 10ની પરીક્ષા આપનારા અને નાપાસ થનારા વિદ્યાર્થીઓમા માટે આ નિયમ લાગુ કરાશે. ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને રેગુયલર વિદ્યાર્થીની જેમ જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
વર્તમાનમાં રિપીટર તરીકે આપવી પડે છે પરીક્ષા
આપને જણાવી દઈએ કે, અત્યારના નિયમ પ્રમાણે ધોરણ-10માં નાપાસ થતાં વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવામાં આવતો નથી. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તો તેને રિપીટર તરીકે જ પરીક્ષા આપવી પડે છે.
શાળા સંચાલક મંડળે કરી હતી રજૂઆત
દર વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સરેરાશ 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે. એવા વિદ્યાર્થીઓ ફરીથી ધોરણ 10માં એડમિશન લઈને અભ્યાસ કરવા માંગતા હોય છે. જેથી વિદ્યાર્થીઓની ઈચ્છાને ધ્યાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરસમક્ષ શાળા સંચાલક મંડળે રજૂઆત કરી હતી. ત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમની રજૂઆતને સ્વીકારી લેવામાં આવી છે.
પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ
નોંધનીય છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે વહેલી તકે બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી શકે છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર ચકાસણી શરૂ કરાઈ હતી. જે કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી હોવું કહેવાય છે. હાલ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થયા બાદ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. મે મહિના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. તો મે મહિનાના ત્રીજા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે.
15 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂરી થઈ છે. ધો.10-12માં 15 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh