બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Good news for poor parents, the government has announced a helpline number for RTE
Vishal Khamar
Last Updated: 11:12 PM, 17 April 2023
રાજ્ય સરકાર દ્વારા RTE એક્ટ, ૨૦૦૯ આરટીઈ એક્ટ, ૨૦૦૯ હેઠળ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય છે. હાલ આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે માટે તા.૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે એમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.
ઘણા જિલ્લાઓમાં ગરીબ વાલીઓને મનગમતી શાળામાં પ્રવેશ આપવાના નામે પૈસા પડાવતા એજન્ટો સક્રિય હોવાનું રાજ્ય સરકારના ધ્યાને આવ્યું છે. આવા બોગસ એજન્ટો દ્વારા ખોટા પુરાવાઓ તૈયાર કરવાની લાલચ આપવામાં આવે છે. આથી જાહેર જનતાને આવી ભ્રામક જાહેરાતો કે લોભ-લાલચમાં ફસાયા વિના કોઈપણ પ્રકારના નાણાંની લેવડદેવડ નહી કરવા તેમજ આવા કોઈ એજન્ટો આસપાસ જણાય તો તાત્કાલિક સંબંધિત જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી અથવા વોટ્સએપ હેલ્પલાઈન નં. ૭૦૪૬૦૨૧૦૨૨ પર તાત્કાલિક ફરિયાદ કરવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે.
એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહિ કરાશે
સરકાર આવા એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. આ સિવાય જો કોઇ વાલી દ્વારા ખોટા પુરાવા રજૂ કરવામાં આવશે અને ચકાસણી કરતાં તે પુરાવા ખોટા સાબિત થશે તો તેવા વાલીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા સરકારને ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છેઃ રાજ્ય સરકાર
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા RTE એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) અન્વયે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં વિનામૂલ્યે નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. વર્ષ ૨૦૧૭-૧૮થી RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયા વેબપોર્ટલના માધ્યમથી ઓનલાઈન કરવામાં આવી છે. વાલીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી તમામ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવામાં આવે છે. તેમજ રાજ્ય સરકારના તા. ૦૪/૦૮/૨૦૨૦ના ઠરાવ મુજબ અગ્રતા કેટેગરી પ્રમાણે જ સંપૂર્ણ પારદર્શક રીતે પ્રવેશ ઓનલાઈન જ આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ટેકનૉલૉજી આધારિત હોઈ તેમાં કોઇપણ વ્યકિત દ્વારા દખલગીરી શક્ય નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh