બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Godrej Garden City fire investigation reveals big revelation, woman's cause of death revealed, spreading sensation
Vishal Khamar
Last Updated: 07:33 PM, 22 January 2023
ગોદરેજ ગાર્ડન સીટીમાં મહિલાના મોત મામલામાં ખુલાસો થવા પામ્યો છે. ત્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મહિલાનું મોત ગુંગળામણથી થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મહિલાને ગળાના ભાગે જે ઈજાના નિશાન હતા જે બાબતે જાણવા મળ્યું હતું કે મહિલાએ પોતાના ગળે છરી મારવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ હાથના ભાગે નસ કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે મહિલાએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મહિલાના મોતના મામલામાં 10 થી વધુ લોકોના નિવેદન લીધા છે.
વૈજ્ઞાનિક ઢબે પોલીસ તપાસ કરી હતી
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-Vમાં ફ્લેટમાં આગ અને મોત મામલે હવે પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ કરી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળ અને ઇજાના નિશાનના આધારે વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી હતી.
શું કહ્યું ઇજાગ્રસ્ત પતિએ ?
આગ અને હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનિલ વઘેલની પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અનિલ વઘેલે જણાવ્યું હતું કે, આજે સવારના સમયે નાસ્તો બનાવવા મામલે માથાકૂટ થઈ હતી. આ તરફ મામલો ઉગ્ર બનતા પત્નીએ જ છરીથી હુમલો કર્યો હતો. જે બાદમાં બાદ પત્નીએ જ પોતાની જાતે જ ગળુ કાપીને ઘરને આગ ચાંપી હતી.
શું કહ્યું હતું સ્થાનિકે?
આ ઘટનાને લઈ એક સ્થાનિક સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું હતું કે, સવારના સમયે આ ઘટનાની જાણ થતાં અમે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ પતિ-પત્નિના ઝઘડામાં આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ બનાવ બન્યો ત્યારે તેમના બંને બાળકો કે એક ધોરણ 6માં ભણતી પુત્રી અને ધોરણ 8માં ભણતો પુત્ર બંને શાળાએ ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાનો રહેવાસી છે પરિવાર
ગોદરેજ ગાર્ડન સિટીમાં ઇડન સોસાયટીમાં આગ અને મોત કેસમાં સામે આવ્યું છે કે, વર્ષ 2017થી પત્ની અનિતા અને 2 સંતાન સાથે ઇડન સોસાયટીમાં રહે છે. તેઓ મૂળઉત્તરપ્રદેશના આગ્રાના રહેવાસી છે. જોકે હવે સમગ્ર ઘટના બાદ પતિનું શંકાસ્પદ નિવેદન સામે આવ્યુ હતું. મહત્વનું છે કે, પતિએ પત્નીએ પોતાનું ગળું ખુદ કાપ્યાનુ નિવેદન આપ્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh