બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 09:09 AM, 29 January 2024
વડોદરા હરણી લેકમાં દુર્ઘટનાના આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થવા પામ્યો છે. આરોપીઓ દ્વાર નિલેશ જૈનને સંચાલનનું કામ સોંપ્યાનો ખુલાસો થયો છે. જેમાં હરણી લેક ઝોનનું સંચાલન પરેશ શહા અને તેનો પુત્ર વત્સલ કરતા હતા. અન્ય ભાગીદારોની જાણ બહાર નિલેશ જૈનને કામ સોંપ્યાનો ખુલાસો થયો છે. અત્યાર સુધી SIT દ્વારા 6 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે ઘટનાને લઈ 150 લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. હરણી લેક દુર્ઘટનામાં અનેક પ્રકારે ગંભીર બેદરકારીઓ હોવાના ખુલાસા થયા છે. એક બાદ એક બેદરકારીઓ થયાના ખુલાસા સામે આવી રહ્યા છે.
પોલીસ અને FSL ની તપાસમાં ખુલાસો આવ્યો સામે
વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થવા પામ્યો છે. બોટમાં ઓરવલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. પોલીસ તેમજ એફએસએલ રિપોર્ટની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે. બોટમાં ઓવરલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાથી દુર્ઘટના સર્જાયાનો ખુલાસો થયો છે. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં 10 બાળકોને બેસાડી દીધા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા જેથી ટર્ન લેતી વખતે બોટ પલ્ટી મારી ગઈ હતી. તેમજ બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી હતી. આ સમગ્ર બાબતે કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્રે એક ટન વજનની હતી.
વધુ વાંચોઃ જૂનાગઢ તોડકાંડમાં ATSની એન્ટ્રી: 315 બેંક એકાઉન્ટની તપાસ શરૂ, DGP પણ એક્શનમાં, મંગાવ્યો રિપોર્ટ
DEO કચેરી ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષકોની કરશે પૂછપરછ
વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 18 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. સ્કૂલ સંચાલકોએ આખરે પોતાની સ્કૂલે પ્રવાસ માટે DEO ની પરવાનગી લીધી ન હતી. સ્કૂલ સંચાલકોએ ભૂલ સ્વીકારતા DEO કચેરીએ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં DEO કચેરી ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષકોની પૂછપરછ કરશે. તેમજ સ્કૂલની માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરાશે. અને ક્રોસ વેરિફિકેશન બાદ 7 દિવસમાં કલેક્ટરનો રિપોર્ટ સોંપાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh