બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / epf and eps subscribers get free insurance cover up to rs 7 lakh in edli

તમારા કામનું / 7 લાખ સુધીનો વીમો મળશે, એમાંય એક પણ રૂપિયો ચૂકવ્યાં વિના! એ કઇ રીતે? જાણો

Vikram Mehta

Last Updated: 11:15 AM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPF એકાઉન્ટ પર ફ્રી ઈન્શ્યોરન્સ કવર આપવામાં આવે છે. નોકરી દરમિયાન કર્મચારીનું મૃત્યુ થાય તો તેના નોમિનીને આ સ્કીમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ મળી શકે છે.

જો તમે નોકરિયાત વ્યક્તિ છો અને તમારું PF કપાય છે, તો એક પણ રૂપિયો પ્રીમિયમ આપ્યા વગર તમને 7 લાખ સુધીનો વીમો મળી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees Provident Fund Organization, EPFO) તરફથી તમામ EPF એકાઉન્ટ પર ફ્રી ઈન્શ્યોરન્સ કવર આપવામાં આવે છે. નોકરી દરમિયાન કર્મચારીનું મૃત્યુ થાય તો તેના નોમિનીને આ સ્કીમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ મળી શકે છે. 

EPF ખાતાધારકે કોઈપણ નોમિની દાખલ કર્યો નથી તો કાયદાકીય રીતે ઉત્તરાધિકારીને વીમાની રકમ મળે છે. EPFOના તમામ સબસ્ક્રાઈબરને એમ્પ્લોયીઝ ડિપોઝીટ લિંક્ડ ઈન્શ્યોરન્સ સ્કીમ (EDLI) 1976 હેઠળ કવર કરવામાં આવે છે. કર્મચારીનું બિમારીને કારણે, દુર્ઘટના તથા અન્ય કારણોસર મૃત્યુ થાય તો વીમા કવર મળી શકે છે. 

વીમાની રકમ પગાર પર આધાર રાખે છે
EDLI યોજના બહેઠળ જે વીમાની રકમ મળે તે છેલ્લા 12 મહિનાના પગાર પર આધાર રાખે છે. કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો નોમિનીને છેલ્લા 12 મહિનાના પગારની 30 ગણી રકમ, 20 ટકા બોનસ મળે છે. તમામ કર્મચારીના પગારમાંથી જે PF જમા થાય છે, તેનો 8.33 ટકા હિસ્સો EPSમાં 3.67 ટકા હિસ્સો EPFમાં અને 0.5 ટકા હિસ્સો EDLI યોજનામાં જમા થાય છે. 

નોકરી છોડો તો લાભ મળતો નથી
કોઈપણ ખાતાધારક EDLI સ્કીમ હેઠળ ન્યૂનતમ 2.5 લાખ અને મહત્ત્મ 7 લાખ રૂપિયાના ઈન્શ્યોરન્સનો ક્લેમ કરી શકે છે. ન્યૂનતમ ક્લેમ મેળવવા માટે ખાતાધારકે સતત 12 મહિના સુધી નોકરી કરવી પડે છે. નોકરી છોડનાર વ્યક્તિને ઈન્શ્યોરન્સનો લાભ આપવામાં આવતો નથી. 

નોકરી દરમિયાન કોઈ કર્મચારીનું મૃત્યુ થયું હોય તો જ PF એકાઉન્ટ પર ઈન્શ્યોરન્સ માટે ક્લેમ કરી શકાય છે. આ દરમિયાન વ્યક્તિ ઓફિસમાં કામ કરતો હોય કે રજા પર હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. 

વધુ વાંચો: Paytm Payment Bank પર કરોડોનો દંડ: મની લૉન્ડ્રિંગ કેસમાં FIU-INDએ કરી કડક કાર્યવાહી

નોમિની નોંધાવવો તે ફાયદાકારક છે
EPFO સબસ્ક્રાઈબરે ખાતામાં નોમિની નોંધાવવો જરૂરી છે. એકાઉન્ટમાં નોમિની હોય તો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારે EPF, EPS અને  EDLI સ્કીમનો લાભ મેળવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. નોમિની ના હોય તો પૈસા મેળવવા માટે ભાગદોડ કરવી પડે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

7 લાખનો વીમો epf insurance cover up to rs 7 lakh epf ઈન્શ્યોરન્સ eps insurance eps subscribers ઈન્શ્યોરન્સ કવર ઈન્શ્યોરન્સ ક્લેમ ફ્રી ઈન્શ્યોરન્સ epf insurance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ