બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / encounter With Terrorists In Srinagar, Terrorists Firing At The Barrier In Panthachowk
Parth
Last Updated: 09:56 AM, 30 August 2020
રાત્રી દરમિયાન બંને તરફથી અથડામણ
જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓએ શ્રીનગરનાં પંથચોકમાં પોલીસ અને CRPFના સંયુક્ત નાકા પર હુમલો કર્યો. બાઈક પર સવાર થઇને આવેલ ત્રણ આતંકવાદીઓએ અચાનક જ ફાયરીંગ કરી અને નાસી છૂટ્યા. જે બાદ આખા વિસ્તારને વધારાના જવાનોએ ઘેરી લીધો અને રાતથી અત્યાર સુધી ઓપરેશન ચાલુ જ છે. રાત્રી દરમિયાન બંને તરફથી અથડામણ થઇ જેમાં ભારતના એક વીર સપૂત શહીદ થયા છે જ્યારે 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
#UPDATE Srinagar encounter: 2 more terrorists killed (total 03). Operation going on. Further details shall follow: Kashmir Zone Police https://t.co/D8uWoxZhZ8
— ANI (@ANI) August 30, 2020
જવાનો પર અંધાધુંધ ફાયરીંગ કરી
રાત્રી દરમિયાન CRPF અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા પંથાચોક વિસ્તારમાં વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન એક બાઈક પર ત્રણ આતંકીઓ સવાર થઇને આવ્યા અને જવાનો પર અંધાધુંધ ફાયરીંગ કરી નાખી.જવાનો તરફથી પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો જે બાદ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા અને તેમનો પીછો કરવામાં આવતા એક મોહલ્લામાં આતંકીઓ ઘેરાઈ ગયા. વધારાના જવાનોએ ત્યાં પોઝિશન લઇ લીધી, અને બંને તરફથી અથડામણ શરુ થઇ ગઈ.
Jammu and Kashmir: Three terrorists gunned down by security forces in an encounter that began at Pantha Chowk in Srinagar last night. One police personnel lost his life. Operation is still underway. (Visuals deferred by unspecified time) pic.twitter.com/NcEdHr7YnB
— ANI (@ANI) August 30, 2020
આ હુમલામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. મોડી રાત સુધી આતંકીઓ એક મકાનમાં છુપાયેલા હતા જે બાદ આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો જેથી આતંકીઓને ભાગવાની તક મળી શકે નહીં અંધારું હોવાના કારણે ઓપરેશન કરવામાં મુશ્કેલી આવી રહી હતી કારણ કે આખો વિસ્તાર રહેણાંક વિસ્તાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ