બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / education minister dr ramesh pokhriyal nishank talk with students

કોરોના સંકટ / વિદ્યાર્થીઓ માટે ખાસ, કેન્દ્રીય શિક્ષણમંત્રીએ બોર્ડની પરીક્ષાને લઇને કરી મોટી વાત

Kavan

Last Updated: 05:21 PM, 27 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઇને કેટલાક સવાલો જન્મી રહ્યા છે. કોઇને પરીક્ષાની ચિંતા છે તો કોઇને એ વાતનો ડર છે કે, કોરોનાથી ઉભી થયેલ સ્થિતિને કારણે નકારાત્મકતા તેમનામાં ઘર કરી રહી છે. આ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોમવારે પોતાના ટ્વીટર પરથી વિદ્યાર્થીઓ  અને વાલીઓ સાથે વાતચીત કરી હતી.

  • કોરોના વાયરસે મચાવ્યો કહેર 
  • કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે કરી વાતચીત
  • CBSE બોર્ડમાં 29 મૂળ વિષયોની પરીક્ષા યોજાવાની કરી વાત

આ વાતચીત દરમિયાન રમેશ પોખરિયાલ નિશંકે સરકારના ઉપાયોની જાણકારી આપી હતી. નિશંકે જણાવ્યું કે, કોરોના વાયરસની અસર શિક્ષણ વિભાગ પર પણ પડી રહી છે. જો કે, તેમણે કોરોના સામેની જંગમાં વિદ્યાર્થીઓના પ્રયાસની સરાહના કરી હતી. 

CBSE બોર્ડમાં 29 મૂળ વિષયોની પરીક્ષા યોજાશે 

નિશંકે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ વિશેની મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સીબીએસઈ બોર્ડની 83 પરીક્ષાઓ બાકી છે. પરંતુ તેમાંથી, 29 મૂળ વિષયો છે, જેની પરીક્ષા લેવામાં આવશે. રમેશ પોખરીયલ નિશંકે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સામાન્ય રહેશે અને ભારત સરકાર લોકડાઉનને સંપૂર્ણપણે ખોલશે ત્યારે જ બાકીની પરીક્ષાઓ લેવામાં આવશે. જોકે, નિશંકે આ માટે કોઈ અંતિમ તારીખ વિશે વાત કરી ન હતી.

ભારતમાં કોરોના વાયરસને કારણે 870 થી વધુ લોકોનાં મોત થયાં છે

ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 870 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, દેશમાં આ રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા 28 હજારની નજીક પહોંચી ગઈ છે. જ્યાં સુધી આખી દુનિયાની વાત છે, વિશ્વમાં કોરોના વાયરસને કારણે 2 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ