બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating this dry fruit gives energy to the body
Pooja Khunti
Last Updated: 03:13 PM, 23 February 2024
ખૂબ ઓછા લોકો સૂકી ખારેક ખાવાનું પસંદ કરે છે. દૂધમાં સૂકી ખારેકને પલાળી તેનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરને તાકત મળે છે. સૂકી ખારેક આમ તો થોડી કડક હોય છે પરતું તેને પલાળીને ખાવામાં આવે તો તેનાથી શરીરને ઘણા ફાયદાઓ મળે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેણે સૂકી ખારેકનું સેવન કરવું જોઈએ. સૂકી ખારેકના સેવનથી શરીરમાંથી લોહીનું ઉણપ દૂર થઈ જાય છે. સૂકી ખારેકમાં આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. તેનાથી હાડકાં અને હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. જાણો, દરરોજ સૂકી ખારેક ખાવાથી થતાં ફાયદાઓ વિશે.
લોહીની ઉણપ દૂર થાય છે
સૂકી ખારેકમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. તેનાથી હિમોગ્લોબિન વધે છે. તેથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. જો તમને થાક લાગતો હોય અને શરીરમાં નબળાઈ આવી ગઈ હોય તો તમારે પલાળેલી સૂકી ખારેકનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરને તરત જ એનર્જી મળશે.
હ્રદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
દરરોજ નિયમિત રીતે સૂકી ખારેકનું સેવન કરવામાં આવે તો તેનાથી હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ સાથે હાર્ટ અટેકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. સૂકી ખારેક ખાવાથી શરીરને એન્ટીઓક્સિડેન્ટ, હાયપોલીપીડેમિક અને એન્ટી એપોપ્ટોટિક ગુણો મળે છે.
પાચન માટે ફાયદાકારક
ખાલી પેટ સૂકી ખારેક ખાવાથી મેટાબોલિઝમ વધે છે. આ સાથે તે પેટ અને પાચન બંને માટે સારી છે. સૂકી ખારેક ખાવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. આ સાથે પેટને લગતી સમસ્યાઓ પણ ઓછી થઈ જાય છે.
વાંચવા જેવું: બ્રશ દરમ્યાન તમારા દાંતમાંથી લોહી તો નથી પડતું ને? તો ચેતી જજો!
વજન ઘટાડવા
સૂકી ખારેકને પલાળીને ખાવામાં આવે તો તેનાથી જલ્દીથી વજન ઓછું થવા લાગે છે. સવારે નાસ્તામાં સૂકી ખારેકનું સેવન કરવું જોઈએ.
ચેપને દૂર રાખે છે
સૂકી ખારેક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો જલ્દીથી ચેપી રોગોનું સંક્રમણ નથી લાગતું. સૂકી ખારેકમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન A અને વિટામિન C હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir