બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Eating half pizza a week can decrease the pain level of Rheumatoid Arthritis says the study
Vaidehi
Last Updated: 07:20 PM, 12 August 2023
પિઝા એક સૌથી વધુ અનહેલ્ધી ફાસ્ટ ફૂડ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે પિઝા ખાવાથી વજન વધવાનો અને પેટ સંબંધિત સમસ્યાઓ થવાનો ભય રહે છે. ડાયાબિટીઝ, હાર્ટઅટેક અને હાઈબ્લડ પ્રેશર જેવી બીમારીઓ થઈ શકે છે. પરંતુ હાલમાં આવેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે પિઝા ખાવાથી આ તમામ બીમારીઓ થવાનો ખતરો વધતો નથી પરંતુ ઘટે છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે પિઝા ખાવાથી રૂમેટાઈડ અર્થરાઈટિસ (સંધિવા) ની તકલીફો દૂર થાય છે.
સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે જો પિઝા ફ્રેશ સામગ્રીથી તૈયાર કરવામાં આવ્યો હોય તો તે સંધિવા સંબંધિત સમસ્યાઓ ઓછી કરી શકે છે. NHS અનુસાર સંધિવા એક ઓટોઈમ્યૂન ડિઝીઝ છે. આ બીમારી એવા જ લોકોને થાય છે જેમની ઈમ્યૂન સિસ્ટમ ભૂલથી હેલ્ધી સેલ્સ પર અટેક કરી દે છે જેના કારણે સોજો થવા લાગે છે. સંધિવામાં લોકોને સાંધામાં દુ:ખાવો ઉપડે છે. આ બીમારીનો હાલમાં કોઈ ઈલાજ આવ્યો નથી.
પિઝા ખાવાથી સંધિવાનો દુ:ખાવો ઘટે છે
ઈટલીનાં વૈજ્ઞાનિકનું માનીએ તો અડધો પિઝા ખાવાથી સંધિવાનાં કારણે થતાં દુ:ખાવાને 80% સુધી ઘટાડી શકાય છે. એવું એટલા માટે કારણકે પિઝામાં નાખવામાં આવતી કેટલી સામગ્રીઓ સોજા ઘટાડવામાં ઉપયોગી હોય છે. પિઝામાં ઉપયોગમાં લેવાતી મોઝરેલા ચીઝ અને ઓલિવ ઓઈલ સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે.
365 લોકો પર થઈ રિસર્ચ
ન્યૂટ્રિએન્ટસમાં પબ્લિશ એક સ્ટડીમાં 18થી 65 વર્ષનાં 365 લોકોને શામેલ કરવામાં આવ્યાં હતાં કે જેમને સંધિવાની બીમારી હતી.જે લોકોએ દર અઠવાડિયે એકથી વધુ વખત અડધો પિઝા ખાધો તેમને સંધિવાનાં દુ:ખાવાથી રાહત મળી. ગંભીર સંધિવાવાળા લોકોએ સમાન માત્રામાં પિઝાનું સેવન કર્યું અને તેમના દુ:ખાવામાં પણ 80% જેટલો સુધારો આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh