બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / doctors statement on illness of lata mangeshkar here is reason why she died

દુઃખદ / કઈ બીમારીથી પરેશાન હતા લતા દીદી? શા કારણે થયું નિધન? ડોકટરોએ શું કહ્યું જુઓ

Mayur

Last Updated: 11:46 AM, 6 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લતા મંગેશકર છેલ્લા 28 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન તેઓએ કઈ સમસ્યાઓનો સામનો કર્યો તે વિષે બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉક્ટર્સે માહિતી આપી હતી.

  • લતા મંગેશકરનું નિધન 
  • ડોકટરોએ શું કહ્યું જુઓ 
  • છેલ્લા 28 દિવસથી હોસ્પિટલમાં દાખલ

સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે આજે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા 28 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી. થોડા દિવસો પહેલા તેમની તબિયતમાં સુધારો થયો હતો. પરંતુ શનિવારે ફરીથી તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેનું મોત થયું હતું.

ડૉક્ટર્સનું નિવેદન

મંગેશકરની સારવાર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડૉ. પ્રતીક સમદાનીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી હતી. તેમણે કહ્યું કે, 'અત્યંત દુખ સાથે જણાવવામાં આવે છે કે લતા મંગેશકરજીનું સવારે 8:12 વાગ્યે નિધન થયું છે. મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે હોસ્પિટલમાં દાખલ થયાના 28 દિવસથી વધુ સમય પછી તેમનું અવસાન થયું.

ગયા મહિને થયો હતો કોરોના 

તમને જણાવી દઈએ કે લતા મંગેશકરને ગયા મહિને કોરોના થયો હતો. આ પછી તેને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેનામાં કોરોનાના હળવા લક્ષણો હતા. પરંતુ બાદમાં તબિયત બગડવા લાગી હતી. અગાઉ, પીઢ ગાયકને શ્વાસ લેવામાં તકલીફ થતાં નવેમ્બર 2019 માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

PM મોદીએ કર્યું ટ્વિટ 
PM મોદીએ દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને લતા દીદીનો ખૂબ સ્નેહ મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. તેમની સાથે થયેલ વાતચીત મારા માટે અવિસ્મરણીય છે. મેં પરિજનો સાથે વાત કરીને સંવેદના વ્યક્ત કરી છે, અને હું આ દુખ શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. દેશમાં તેમની જગ્યા ક્યારેય ભરાઈ શકશે નહીં. 

લતા મંગેશકરના નિધન પર રાહુલ ગાંધીનું ટ્વીટ
લતા મંગેશકરજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તે ઘણા દાયકાઓ સુધી ભારતનો સૌથી પ્રિય અવાજ રહ્યો. તેમનો મધુર અવાજ અમર છે અને તેમના ચાહકોના હૃદયમાં ગુંજતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ