બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / મનોરંજન / બોલિવૂડ / doctors statement on illness of lata mangeshkar here is reason why she died
Mayur
Last Updated: 11:46 AM, 6 February 2022
સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે આજે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા 28 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી. થોડા દિવસો પહેલા તેમની તબિયતમાં સુધારો થયો હતો. પરંતુ શનિવારે ફરીથી તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેનું મોત થયું હતું.
ડૉક્ટર્સનું નિવેદન
મંગેશકરની સારવાર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડૉ. પ્રતીક સમદાનીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી હતી. તેમણે કહ્યું કે, 'અત્યંત દુખ સાથે જણાવવામાં આવે છે કે લતા મંગેશકરજીનું સવારે 8:12 વાગ્યે નિધન થયું છે. મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે હોસ્પિટલમાં દાખલ થયાના 28 દિવસથી વધુ સમય પછી તેમનું અવસાન થયું.
ગયા મહિને થયો હતો કોરોના
તમને જણાવી દઈએ કે લતા મંગેશકરને ગયા મહિને કોરોના થયો હતો. આ પછી તેને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેનામાં કોરોનાના હળવા લક્ષણો હતા. પરંતુ બાદમાં તબિયત બગડવા લાગી હતી. અગાઉ, પીઢ ગાયકને શ્વાસ લેવામાં તકલીફ થતાં નવેમ્બર 2019 માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
PM મોદીએ કર્યું ટ્વિટ
PM મોદીએ દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને લતા દીદીનો ખૂબ સ્નેહ મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. તેમની સાથે થયેલ વાતચીત મારા માટે અવિસ્મરણીય છે. મેં પરિજનો સાથે વાત કરીને સંવેદના વ્યક્ત કરી છે, અને હું આ દુખ શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. દેશમાં તેમની જગ્યા ક્યારેય ભરાઈ શકશે નહીં.
લતા મંગેશકરના નિધન પર રાહુલ ગાંધીનું ટ્વીટ
લતા મંગેશકરજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તે ઘણા દાયકાઓ સુધી ભારતનો સૌથી પ્રિય અવાજ રહ્યો. તેમનો મધુર અવાજ અમર છે અને તેમના ચાહકોના હૃદયમાં ગુંજતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ