બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Do not consume too much green tea, It can harm health
Pooja Khunti
Last Updated: 10:44 AM, 25 December 2023
ગ્રીન ટી પીવાથી થતાં 5 નુકશાન
ગ્રીન ટી એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. તેની અંદર વિટામિન C, વિટામિન D અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ અમુક સ્થિતિની અંદર ગ્રીન ટીનું સેવન હાનિકારક હોય છે. ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે જેટલી ગુણકારી છે એટલી જ અમુક લોકો માટે હાનિકારક પણ છે. જાણો ગ્રીન ટીથી થતાં નુકસાન વિશે.
મોતિયાની સમસ્યા
વધુ પ્રમાણમાં ગ્રીન ટીનું સેવન કરવાથી આંખોને નુકસાન થઈ શકે છે. વધુ પ્રમાણમાં ગ્રીન ટીનાં સેવનનાં કારણે આંખો પર તાણ આવે છે. જેના કારણે આંખોને નુકસાન થઈ શકે છે. તમને આંખોથી લગતી કોઈ સમસ્યા હોય તો તમારે ગ્રીન ટીનું સેવન ઓછું કરી દેવું જોઈએ.
ગર્ભાવસ્થા
ગર્ભાવસ્થા સમયે ગ્રીન ટીનાં સેવનથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ગ્રીન ટીની અંદર કેટચિન નામનું સંયોજન હોય છે જેના કારણે ચિંતાનું સ્તર વધી જાય છે. આ સાથે અજાત બાળક માટે પણ નુકસાનકારક છે. એટલા માટે ગર્ભાવસ્થા સમયે નિયમિત માત્રામાં ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ.
એનીમિયાની સમસ્યા
વધુ પડતું ગ્રીન ટીનું સેવન આયર્ન અવશોષણની ક્ષમતા પર અસર પાડે છે. એટલા માટે વધુ પ્રમાણમાં ગ્રીન ટીનું સેવન ન કરવું જોઈએ. તેના કારણે શરીરની અંદર લોહીની ઉણપ થઈ શકે છે.
પાચન તંત્ર
વધુ પડતી ગ્રીન ટીનાં સેવનનાં કારણે પાચન તંત્ર બગડી શકે છે. તેની અંદર હાજર ટેનિન નામનું તત્વ પેટની અંદર એસિડનું પ્રમાણ વધારી દે છે. જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. આ સાથે ખાટા ઓડકાર અને પેટનાં દુ:ખાવાની સમસ્યા પણ થઈ શકે છે.
હ્રદયનાં ધબકાર વધવાની સમસ્યા
વધુ પ્રમાણમાં ગ્રીન ટીનાં સેવનનાં કારણે હ્રદયનાં ધબકારા વધી જાય છે. આ સાથે બેચેની અને અનિંદ્રાનું જોખમ પણ વધી જાય છે. એટલા માટે મર્યાદિત માત્રામાં જ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh