બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 04:56 PM, 6 September 2022
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપી આજે વિધિવત કેસરીયા કર્યા છે. આ મામલે કોંગ્રેસ નેતા પાર્થિવ કઠવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના ફાયદા માટે મોટુ પદ છોડીને ગયા છે. જે ભાજપમાં જોડાયા બાદ પણ નિષ્ફળ રહયા હોવાનો ઉલ્લેખ કરી કમલમા ખાતે આજે ખુર્શીઓ ખાલી હતી જે તમામ લોકોએ જોયું હોવાનું પાર્થિવ કઠવાડિયાએ ઉમેર્યું હતું.
યુવા સંગઠનનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો પરંતુ ભાજપમાં જોડાયા
પાર્થિવ કઠવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આઠ લાખથી વધુ યુવા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. જેનું નેતૃત્વ કરવાનો મોકો વિશ્વનાથસિંહ વાઘેલાને મળ્યો હતો પરંતુ તેઓ અંગત ફાયદા કોંગ્રેસ સાથે છેડો ફાડિને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં આજના કાર્યક્રમનો ફિયાસ્કો થયો હોવાનો પણ યુથ કોંગ્રેસે સુર પુરાવ્યો હતો. એટલું જ નહિ કોંગ્રેસમાંથી આવા લોકો જતા રહે તો કોંગ્રેસને કોઈ ફરક ન પડતો હોવાનું પણ પાર્થિવ કઠવાડિયાએ જણાવ્યું હતું. યુવા કોંગ્રેસના પ્રમુખ પદને શોભાવાનો મોકો મળ્યો હતો હવે તેમની સાથે 3 ટકા પણ યુવાનો ન ગયા હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
વિશ્વનાથ વાઘેલા આજે ભાજપના રંગે રંગાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકારણમાં પક્ષ પલટા મૌસમ પૂર બહારમાં ખીલી છે. ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું ધરી દીધું હતું ત્યાંરબાદ આજે તેઑ ભાજપના રંગે રંગાયા છે.વિશ્વનાથ સિંહ વાઘેલા આજે કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. સી.આર. પાટીલની ગેરહાજરીમાં વિશ્વનાથ સિંહ વાઘેલા અને કોંગ્રેસના પૂર્વ યુથ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. આજે કમલમ ખાતે વિશ્વનાથસિંહ વાઘેલા, વિનયસિંહ તોમર સહિત જીગર માળી, પાર્થ દેસાઈ, વિશાલ ઠાકોર, ભાવરી સમાજના ગુજરાત પ્રમુખ માલારામ ભાવરી ભાજપમાં જોડાયા છે. અનેક સમર્થકો સાથે કોંગ્રેસના યુવા નેતાઓએ આજે કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસના આ પૂર્વ દિગ્ગજોનું ગોરધન ઝડફિયાએ ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh