બ્રેકિંગ ન્યુઝ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વખત ફરી દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કથિત દારૂ ઘોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડની આશંકા વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રમુખે કોર્ટ પાસે સંરક્ષણની માંગ કરી છે. કેજરીવાલે અરજી દાખલ કરી પોતાના વિરૂદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવામાં આવે તેવી માંગ કરી છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈતની આગેવાની વાળી બેચ આજે જ આ મામલામાં સુનાવણી કરશે.
ADVERTISEMENT

અત્યાર સુધી 9 સમન્સ પાઠવી ચુકી છે ED
ઈડી અરવિંદ કેજરીવાલને અત્યાર સુધી 9 સમન્સ પાઠવી ચુકી છે. આ પહેલા બુધવારે પણ દિલ્હી હાઈ કોર્ટમાં કેજરીવાલની તે અરજી પર સુનાવણી થઈ હતી જેમાં તેમને કેન્દ્રીય તપાસ એજન્સીની તરફથી જાહેર બધા સમનને પડકાર આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
વાંચો વિગતે : મહારાષ્ટ્રમાં વહેલી સવારે જોરદાર ભૂકંપ, 10 મિનિટમાં બે મોટા આંચકાથી ફફડી ઉઠ્યાં લોકો

ADVERTISEMENT
જોકે સુનાવણી બાદ કોર્ટે ઈડી પાસે જવાબ માંગ્યો અને મામલાની બીજી સુનવણી 22 એપ્રિલ સુધી ટાળી દીધી. કેજરીવાલની તરફથી રજૂ કરવામાં આવેલા વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું હતું કે તે ઈડીના સામે રજૂ થવા માટે તૈયાર છે. શરત એટલી છે કે તેમને ધરપકડ સામે સંરક્ષણ આપવામાં આવે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.