બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Decision taken by Ahmedabad Municipal Corporation: Know this news before boarding Kankaria and city buses
Mehul
Last Updated: 04:13 PM, 11 November 2021
ગુજરાત છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના જે આંકડા સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.આમ છતાં,અમદાવાદમાં કોરોના રસી લેવામાં લોકોમાં નિરસતા દેખાઈ રહી છે. અમદાવાદ શહેરમાં જ અંદાજે 9 લાખ નાગરીકો હજુ પણ બીજા ડોઝના રસીકરણથી વંચિત છે. શહેરની હોસ્પીટલમાં પ્રયાપ્ત માત્રામાં બીઓજો ડોઝ ઉપલબ્ધ હોવા છતાં લોકોમાં બીજા ડોઝ પ્રત્યે ઉદાસીનતા ઉડીને આંખે વળગી છે.આ પરિણામે મહાનગર પાલિકા-અમદાવાદે નિર્ણય કર્યો છે કે, જેમણે કોરોના રસીનો બીજો ડોઝ નહિ લીધો હોય તેમને મહાનગર પાલિકાના પરિસરમાં પ્રવેશ આપવામાં નહિ આવે
કાંકરિયા-AMTS-મહાપાલિકામાં પ્રવેશ નહિ
દીપાવલીના તહેવારો પૂર્વે જ રસીકરણની ઝુંબેશને વેગ આપવા અમદાવાદ મહાનગર પાલિકાએ ફરમાન કર્યું હતું કે,જેઓએ બંને ડોઝનું રસીકરણ કર્યું હશે તેઓને જ કાંકરિયા કે મોલ-મલ્ટીપ્લેક્સમાં પ્રવેશ અપાશે.આ ઉપરાંત,સ્થાનિક AMTS/BRTSમાં પણ પ્રવેશબંધી ફરમાવી હતી.હવે જ્યારે અમદાવાદમાં રસીના બીજા ડોઝ માટે ઉદાસીનતા જણાઈ છે ત્યારે, મહાનગર પાલિકાએ વધુ એક નિયંત્રણ દાખવી શુક્રવારથી મહાનગર પાલિકામાં એવા લોકો માટે પ્રવેશ બંધી કરી છે,જેઓએ કોરોના વિરુદ્ધની રસીનો બીજો ડોઝ નથી લીધો.
દિવાળીના તહેવાર બાદ જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે રાજ્યમાં ફરી કોરોના માથું ઉચકી રહ્યું છે, તહેવારોની સિઝન બાદ રાજ્યના મોટા શહેરોમાં કોરોનાનું જોખમ વધી ગયુ છે. વડોદરા બાદ હવે અમદાવાદમાં પણ કોરોના સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. શહેરમાં એક જ દિવસમાં ચાર ગણા કેસ સામે આવતા આરોગ્ય વિભાગનું તંત્ર દોડતું થઈ ગયું છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા છે. જ્યારે 36 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 16 કેસ સામે આવ્યા છે શહેરના પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે 16 કેસમાંથી 11 અને 13 વર્ષના બે બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જો કે કોરોનાને કારણે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી.
એક જ દિવસમાં ચાર ગણા કેસ વધ્યા
નવેમ્બર મહિનાના 10 દિવસમાં જ શહેરમાં 52 કેસ નોંધાયા છે અને તેની સામે 23 લોકો સાજા થયા છે.કોરોનાના કેસમાં વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ પણ અલર્ટ થઇ ગયું છે. અમદાવાદમાં બહારથી આવતા લોકોનું ટ્રેસિંગ અને ટ્રાવેલ હીસ્ટ્રી તપાસવામાં આવશે તો દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસ વધવાની શક્યતાને લઇને ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir