બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / Deaths of young children due to heart defects in Rajkot are becoming a challenge for medical science.
Malay
Last Updated: 10:35 AM, 18 July 2023
રાજકોટમાં છેલ્લા એક જ મહિનામાં 2 વિદ્યાર્થીઓના હૃદયમાં ખામી સર્જાતા મૃત્યુ થયા છે. ગુરુપૂર્ણિમાના દિવસે રીબડાના ગુરુકુળમાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યા બાદ ગઈકાલે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થી મુદીત અક્ષયભાઈ નળિયાપરા (ઉ.વ.17)નું મૃત્યુ પણ હૃદયમાં ખામીના કારણે થયું હોવાનું તબીબોએ જણાવ્યું છે.
નાના બાળકોના મૃત્યુ મેડિકલ સાયન્સ માટે પડકારરૂપ
તબીબોએ વિદ્યાર્થીના હૃદયની એક દીવાલ પાતળી અને બીજી દીવાલ જાડી હોવાની પણ વાત કરી છે. સાથ જ ડોક્ટરોએ આ 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ હોવાનું જણાવ્યું છે. નાના બાળકોના મૃત્યુ મેડિકલ સાયન્સ માટે પડકારરૂપ બની રહ્યા છે.
રાજકોટના 17 વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ
રાજકોટમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચાલુ ક્લાસે ઢળી પડતા શિક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. જે બાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થી મુદીત અક્ષયભાઈ નળિયાપરા (ઉવ.17)ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે મુદીતને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દિકરાના મોતના સમાચાર સાંભળતા જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ચાલુ ક્લાસે ઢળી પડ્યો હતો વિદ્યાર્થી
મુદિત ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. ત્યારે ગઈકાલે સ્કૂલમાં એકમ કસોટી હતી. મુદિતને એક બે દિવસથી માત્ર શરદી ખાંસીની તકલીફ હતી. પાંચ પિરિયડ પૂર્ણ થયા બાદ રિસેસમાં તે પરીક્ષા આપવા ક્લાસમાં બેઠો હતો તે સમય દરમ્યાન અચાનક જ તે ઢળી પડ્યો હતો. જે બાદ સ્કૂલના ક્લાસ ટીચર દ્વારા મુદિતને CPR જેવી બેઝિક ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ આવતા તુરંત જ મુદિતને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
SGVP રીબડા ગુરુકુળના વિદ્યાર્થીનું થયું હતું મૃત્યુ
રાજકોટ-ગોંડલ રોડ પર રીબડા નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યોજાય તે પહેલા ધોરણ 10માં અભ્યાસ કરતો મૂળ ધોરાજીનો દેવાંશ ભાયાણી અચાનક બેભાઈ થઈ ગયો હતો. જે બાદ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. જે બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને નાનપણથી હૃદયનો ભાર વધવાની બીમારી હતી. હૃદય વધુ ભારવાળું થયું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh