બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / cricket news harbhajan singh slams inzamam ul haq islam

વિવાદ / 'ભારતનો આ ક્રિકેટર મુસ્લિમ ધર્મ સ્વીકારવા માગતો હતો', પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરના દાવાથી ખળભળાટ, સામે જવાબ મળ્યો ક્યા નશામાં છું?

Vishnu

Last Updated: 09:11 AM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરભજનસિંહના ગુસ્સાનો શિકાર હવે પાકિસ્તાન પૂર્વ કેપ્ટન ઈઝમામ ઉલ હક બન્યો છે. કારણ કે પાક ક્રિકેટરના બેફાટ નિવેદને તમામ હદ વટાવી દીધી છે. ઈઝમામ ઉલ હક વિવાદિત નિવેદન આપતા કહ્યું કે ભારતનો પૂર્વ ઓફ સ્પિનર મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવાનું વિચારી રહ્યો હતો.

  • હરભજનસિંહ મુસ્લિમ ધર્મ સ્વીકારવાનું વિચારી રહ્યા હતા: પાકિસ્તાન પૂર્વ કેપ્ટન ઈઝમામ ઉલ હક 
  • નિવેદન બાદ હરભજનસિંહેનો ગુસ્સો સાતમા આસમાને
  • કયો નશો કરીને વાત કરી રહ્યો છે ઈઝમામ: હરભજનસિંહ

ક્રિકેટના મેદાનમાં હાલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. પણ મેદાનની બહાર પણ રોમાંચ, ડ્રામા અને એક્શન ભૂરપુર છે. હાલ 4 ટીમો સેમી ફાઈનલમાંથી ફાઇનલ ટિકિટ નક્કી કરવા આર પારની લડાઈ લડી રહી છે તેની વચ્ચે હરભજનસિંહ અને ઈઝમામ ઉલ હક્ક પણ આમને સામને આવી ગયા છે. કારણ કે પાકિસ્તાન પૂર્વ કેપ્ટન ઈઝમામ ઉલ હકના વિવાદિત ખુલાસો ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. હરભજનસિંહનો ઉલ્લેખ કરતાં ઉઝમામે કહ્યું કે ભારતનો પૂર્વ ઓફ સ્પિનર મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવાનું વિચારતો હતો. 

વર્લ્ડ ક્રિકેટમાં ટર્બનેટરના નામથી જાણીતા હરભજનસિંહે ઈઝમામ ઉલ હકને બકવાસ વ્યક્તિ કહી વળતો જવાબ આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ ઈઝમામ ઈલ હક્કની ગંભીર વાત તેમના કાનોમાં પડી, જે બાદ ગુસ્સે ભરાયેલા હરભજન સિંહે જડબાતોડ જવાબ આપ્યો

ઈઝમામ ઉલ હકે શબ્દ શ: હરભજનસિંહ વિશે શું કહ્યું?
પાકિસ્તાન પૂર્વ કપ્તાને હરભજનની ઈસ્લામ કબૂલ કરવાની વાત પર ખુલાસો કરતાં કહ્યું કે તેમણે આ વિચાર ત્યારે આવ્યો હતો જ્યારે તે મૌલાના તારીક જમીલને મળ્યા હતા. મૌલાના તારીક જમીલ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે નમાઝ અદા કરવા આવતા હતા. ઈઝમામે ખુલ્લેઆમ કહેલી આ વાતમાં કેટલો દમ છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. પણ વર્લ્ડ કપમાંથી આઉટ થયા બાદ પાકિસ્તાની ક્રિકેટરો અને ચાહકો મનફાવે તેમ નિવેદનો કરી રહ્યા છે. કદાચ ઈઝમામ ઉલ હકનું નિવેદન પણ એ કરારી હારના દુખનું કારણ હોઈ શકે.

હરભજનસિંહે કહ્યું કયો નશો કરીને વાત કરે છે?
બીજી તરફ હરભજન સિંહ ગુસ્સામાં લાલચોળ થયો છે અને એકસ હેન્ડલ પર ટ્વિટ કરી સીધું ઈઝમામ ઈલ હકના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે આ ભાઈ કયો નશો કરીને વાત કરી રહ્યો છે, હું દિલથી હિન્દુસ્તાની છું. મને ભારતીય અને સિખ હોવા પર ગર્વ છે. બકવાસ લોકો કઈ પણ બોલી શકે છે. 

મહત્વનું છે કે ઈઝમામ ઈલ હક પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર હતા. પણ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેમણે મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. ઈઝમામે પાકિસ્તાન માટે 499 મેચ રમી છે જેમાં 20 હજારથી વધુ રન બનાવ્યા છે. તો સામે હરભજનસિંહે ભારત માટે 350થી વધુ મેચ રમી છે અને 700થી વધુ વિકેટ ચટકાવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ