બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Khyati
Last Updated: 02:28 PM, 28 March 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઇને ભાજપ દ્વારા બેઠકોનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ નેતાઓ પણ પ્રજાની વચ્ચે જવા માટેનો એક પણ મોકો છોડતા નથી. હજી ચૂંટણીની તારીખો જાહેર નથી થઇ પરંતુ ચૂંટણી જાણે આવતીકાલે જ હોય તે પ્રકારે રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઇ છે. ક્યાંક કોઇ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાની હોય કે પછી પાર્ટીના કાર્યક્રમમાં. ચૂંટણીને અનુલક્ષીને કોઇકને કોઇ નિવેદનો સામે આવતા હોય છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સુરતમાં આયોજિત કાર્યક્રમમાં એક મહત્વનું નિવેદન આપ્યુ હતું..
નાયક માત્ર એક જ બની શકે છે- સી.આર.પાટીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેમાં સત્તા પર જો ભાજપ આવશે તો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેને લઇને ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ત્યારે આ આગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સી.આર પાટીલ હોવાની સંભાવના અંગે જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓએ જણાવ્યુ કે નાયક માત્ર એક જ બની શકે છે.અને અન્ય કોઇ બીજાએ બનવાની હિંમત પણ ન કરવી જોઇએ . આપણા નાયક પીએમ મોદી છે. હું જ્યાં છુ ત્યાં ઠીક છું. મને જે જવાબદારી મળી છે તે નિભાવવાની ચેષ્ટા કરુ છું. મને સફળતા મળશે તેવો મને વિશ્વાસ છે તેમ જણાવ્યુ હતું.
રાજસ્થાન દિવસની કરવામાં આવી ઉજવણી
રાજસ્થાન દિવસની ઉજવણીને લઇને સુરતમાં એક મોટો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સી.આર પાટીલ અતિથિ વિશેષ રુપે હાજર રહ્યા હતા. સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. રાજસ્થાન દિવસ હોવાથી મોટી સંખ્યામાં રાજસ્થાની ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રંગેચંગે સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સી.આર પાટીલે સ્ટેજ પર સંબોધન કરતા એમ પણ જણાવ્યુ કે તમે પીએમ મોદીને સુરતમા જોવા માંગો છો તો અમે સુરતમાં પીએમ મોદીને આવવા આમંત્રણ આપીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh