બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
VTV / coronavirus updates india reports 9923 new cases
Pravin
Last Updated: 11:04 AM, 21 June 2022
દેશમાં કોરોનાના કેસોમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 9923 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 17 લોકોના મોત પણ થયા છે, જ્યારે 7293 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને હવે 79,313 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 5,24,890 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે. તો વળી 4,27,15,193 લોકો સાજા થઈ ચુક્યા છે. કુલ 1,96,32,43,003 લોકોને કોરોનાની રસી લગાવામાં આવી ચુકી છે.
#COVID19 | India reports 9,923 fresh cases, 7,293 recoveries and 17 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 21, 2022
Active cases 79,313
Daily positivity rate 2.55% pic.twitter.com/AcHIh3KVY1
રિકવરી રેટ 98 ટકાને પાર
હાલના સમયમાં રિકવરી રેટ 98.61 ટકા છે, ડેઈલી પોઝિટિવિટી રેટ 2.55 ટકા છે, જ્યારે વિકલી પોઝિટિવીટી રેટ 2.67 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 85.85 કરોડ ટેસ્ટ થઈ ચુક્યા છે. જેમાંથી 3,88, 641 ટેસ્ટ છેલ્લા 24 કલાકમાં થયા છે.
સોમવારે મળ્યા હતા 12 હજારથી વધારે કેસ
અહીં ઉલ્લેખનિય છે કે, સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,781 નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 18 લોકોના મોત પણ થયા હતા, જ્યારે 8537 લોકો કોરોનાથી સાજા પણ થયા હતા, તે અગાઉ રવિવારે પણ કોરોનાના 12,889 કેસો સામે આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ