બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus in Gujarat online funeral in rajpipla cause of the lockdown
Gayatri
Last Updated: 01:21 PM, 31 March 2020
વણિક સમાજ દ્વારા લોકડાઉન અને 144 નો અમલ થાય એ માટે ડીઝીટલ બેસણાનું આયોજન કરાયું હતું રાજપીપળામાં વણિક સમાજના મોભી ગિરીશચંદ્ર મોતીલાલ પરીખનું ગત 19/3/2020 ના રોજ 85 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયું હતું.હવે લોકડાઉન દરમિયાન 31/3/2020 ના રોજ એમનું બેસણું પણ આવતું હતું.
વણિક સમાજના એ પરિવારજનોએ લોકો સાથે વ્યવહાર પણ સાચવવો હતો અને કોરોનાના કેહેર વચ્ચે લોકડાઉન, સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન કરવું હતું.લોકો ફેસબુક લાઈવના માધ્યમથી ઘણા પ્રસંગો એક બીજા સાથે શેર કરતા હોય છે. ત્યારે એમણે પણ ફેસબુક અને વોટ્સએપને બેસણાના કાર્યક્રમ માટેનું માધ્યમ બનાવ્યું.
31મી માર્ચે બેસણાના દિવસે વણિક પરિવારે ફેસબુક લાઈવ અને વોટ્સ એપ વિડીયો કોલિંગ દ્વારા કરી ડીઝીટલ બેસણું યોજી કોરોનાના કેહેર વચ્ચે સરકારની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટનસિંગ પણ જાળવી રાખ્યું અને 144 ની કલમનો પણ ભંગ ન કર્યો.દરમિયાન ડીઝીટલ બેસણામાં જોડાયેલા લોકોએ વણિક પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના આપી હતી.એ ડીઝીટલ બેસણામાં વણિક પરિવારના 15 જેટલા લોકો જ હાજર રહ્યા હતા અને એ તમામ લોકોએ સેનેટાઇઝર દ્વારા પોતાના હાથ સેનેટાઇઝ કરીને અંદર પ્રવેશ કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ