બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Malay
Last Updated: 02:23 PM, 6 August 2023
કોઈપણ વ્યક્તિ માટે ઘરનું ઘર બનાવવું એ ખૂબ મોટી વાત હોય છે અને સામાન્ય રીતે સૌ પોતાના ઘર ઉપર ભગવાનનું કે ઘરના કોઈ સભ્યનું નામ લખવતા હોય છે. પરંતુ રાજકોટ શહેરનાં એક કલાકારે પોતાના ઘરનું નામ 'મિત્રકૃપા' રાખ્યું છે. મિત્રો માટે અનહદ લાગણી ધરાવતા જાણીતા હાસ્ય કલાકાર હરસુખ કીકાણી સ્પષ્ટ માનતા હતા કે પોતે મિત્રોનાં કારણે જ આગળ વધ્યા છે. એટલે તેમણે વર્ષ 1961માં પ્લોટ લઈને પોતાનું મકાન બનાવ્યા બાદ તેનું નામ 'મિત્રકૃપા' રાખ્યું હતું. મિત્રોની માટે ખાસ લાગણી ધરાવતા હરસુખ કિકાણીના પુત્રીએ તેમના મિત્ર પ્રેમ વિશે વિગતો જણાવી હતી.
મિત્રો માટે હતી અલગ જ લાગણીઃ ઇલાબેન
તેમના પુત્રી ઇલાબેન જણાવે છે કે તેઓ નાટકમાં જેમની સાથે કામ કરતા અથવા આકાશવાણીમાં પણ જેમની સાથે તેઓ હતા, તેમની સાથે માત્ર તેઓના સહકર્મી તરીકેના સંબંધો નહોતા. તમામ સાથે તેઓ લાગણીથી જોડાયેલા હતા. અનેક વખત તેઓ પોતાના નાટકના આખા સ્ટાફને તેમના ઘરે જમાડતા હતા. તેમના માતા પણ ખૂબ શાંત પ્રકૃતિના અને તેમને ખૂબ સાથ આપતા હતાં. મિત્રો માટે તેઓને એક અલગ જ લાગણી હતી.
તેમના જીવનમાં મિત્રો ખૂબ જ મહત્વનો હિસ્સો રહ્યાઃ ઇલાબેન
તેમના મિત્રોની વાત કરતા ઇલાબેને કહ્યું કે, ડૉ દસ્તુર, ડૉ રસિકભાઈ શાહ, ડૉ અડાલજા, આકાશવાણીના તે સમયના સ્ટેશન ડાયરેક્ટર ગિજુભાઈ વ્યાસ તેમના ગાઢ મિત્રો હતા. ગીજુભાઈ વ્યાસ ડાયરેક્ટર જનરલ ઓફ દૂરદર્શન થયા બાદ પણ તેમના ઘરે એક-એક માસ રોકાવા આવતા હતા. તેમના જીવનમાં મિત્રો ખૂબ જ મહત્વનો હિસ્સો રહ્યા છે. તેમનું એવું પણ માનવું હતું કે મિત્રોના લીધે જ તેઓ આટલા આગળ વધી શક્યા છે. આ કારણે જ જ્યારે 1961માં તેમણે પ્લોટ લઈને તેમાં ઘર બનાવ્યું ત્યારે તેનું નામ 'મિત્રકૃપા' રાખ્યું હતું.
1913માં રાજકોટમાં થયો હતો જન્મ
સ્વ. હરસુખ કિકાણીનો જન્મ સપ્ટેમ્બર 1913માં રાજકોટમાં જ થયો હતો. ત્રિકોણબાગ બગીચાની સામે તેમના પિતાને રમતગમતના સાધનોની દુકાન હતી. પરંતુ તેમને શેરબજારમાં મોટી ખોટ આવતા મોટી આર્થિક નુકસાની આવી હતી. બાળપણથી જ તેમને અભિનય અને હાસ્યરસમાં રુચિ હતી. જેથી તેમણે તે ક્ષેત્રમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેમણે "સંતૃપ્ત હૃદય" નામના નાટકનું નિર્માણ કર્યું અને પોતે તેમાં ભૂમિકા નિભાવી. પરંતુ તેમાં નફાને બદલે તેમને નુકસાની થઈ હતી. પરંતુ તેમણે હિંમત હાર્યા વગર તેઓ નાટકો રજૂ કરવા માંડ્યા અને તેમને સફળતા પણ મળવા લાગી.
આફ્રિકામાં પણ તેમના શૉ રહેતા હતા હાઉસફૂલ
આ ઉપરાંત તેમણે પોતાના એકલા હાસ્ય કાર્યક્રમો પણ શરૂ કર્યા એટલે કે અત્યારના જમાના મુજબ કહીએ તો સ્ટેન્ડઅપ કોમેડી ક્ષેત્રમાં તેમને એટલી ખ્યાતિ મળી કે તેમને આફ્રિકાના અનેક દેશોમાંથી કાર્યક્રમ માટે નિમંત્રણ મળવા લાગ્યા, કારણ કે ત્યાં મોટી સંખ્યામાં ગુજરાતી રહે છે અને ત્યાં પણ તેમના શો હાઉસફૂલ રહેતા હતા. તેમની લોકપ્રિયતાને જોઇને બ્રિટિશ કંપની His Master voice રેકર્ડ કંપનીએ તેમને નિમંત્રણ આપ્યું અને તેમના જોક્સ અને હાસ્ય નાટકોની અનેક રેકર્ડસ્ બહાર પાડી. જેણે વેચાણના નવા વિક્રમો સર્જ્યા. આ કંપનીએ તેમને 'ગુજરાત કાઠિયાવાડના ફર્સ્ટ ક્લાસ કોમેડિયન' તરીકે પણ ઓળખ આપી હતી.
વારસદાર ફિલ્મમાં ભજવી હતી મુખ્ય ભૂમિકા
સ્વ હરસુખ કિકાણીના પુત્રી ઇલાબેન કિકાણી જણાવે છે કે તેમણે અનેક હાસ્ય નાટકોનું નિર્માણ કર્યું અને પોતે પણ અભિનય કર્યો. તેમનું 'જાગતા રહેજો' નાટક ખૂબ વખણાયું હતું. આ ઉપરાંત તેઓએ ફિલ્મ વારસદારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમાં તેઓ અવિસ્મરણીય અભિનય બદલ રાતોરાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છવાઈ ગયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે તે સમયના હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેત્રી નલિની જયવંત મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં હરસુખ કિકાણીએ શિક્ષિત બેરોજગારની ભૂમિકા ભજવી હતી. બાદમાં 1958માં તેઓ રાજકોટ આકાશવાણીમાં નાટ્ય નિર્માતા તરીકે જોડાયા અને એ સમયના અનેક યુવાનોને રેડિયો નાટક લખતા શીખવ્યું.
પોતાની અવસાન નોંધ પોતે જ લખી
આ કલાકારે મૃત્યુ પહેલા તેમની અવસાન નોંધ જાતે જ લખી રાખી હતી. જેમાં લખ્યું હતું કે, "આજે હું તમારી વચ્ચે નથી. મે તમારી વચ્ચેથી વિદાય લીધી એ તમને ગમ્યું નહીં હોય. મનેય નથી ગમ્યું, પણ તાકિદનો સંદેશો મળ્યો એટલે નાછૂટકે મારે ઉતાવળ કરવી પડી. હું જિંદગી આખી હસ્યો છું. મારા મૃત્યુ પર પણ અત્યારે હસી રહ્યો છું. હું ક્યાં છું તેની મને નથી ખબર પણ જ્યાં છું ત્યાં ખુશખુશાલ છું. મારા અવસાન બદલ તમે બધાએ મારા કુટુંબને આશ્વાસન મોકલાવ્યું તે માટે સૌનો હું ખૂબ આભારી છું." લિ.આપનો હરસુખ કિકાણી
ગાયો સાથે પણ લાગણીથી જોડાયેલા હતા
તેમને ગાય રાખવાનો પણ ખૂબ જ શોખ હતો, તેમના ઘરના ફળિયામાં ગાયો પણ હતી. ગાયો સાથે પણ તેઓ ખૂબ જ લાગણીથી જોડાયેલા હતા. ઇલાબેન જણાવે છે કે, વર્ષ 1971માં 58 વર્ષની વયે હરસુખ કિકાણીનું હાર્ટએટેકના કારણે અવસાન થયું હતું. ત્યારે એક ગાય પણ તેમની અંતિમયાત્રામાં સ્મશાન સુધી સાથે ગઈ હતી. આ પ્રકારે તેઓ તેમના મિત્રો અને ગાયો સાથે પણ ખાસ લાગણીથી જોડાયેલા હતા. તાજેતરમાં તેમની જન્મ શતાબ્દી નિમિતે આખા રોડનું નામકરણ 'હરસુખ કીકાણી માર્ગ' કરવામાં આવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh