બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Cold wind triggers diseases like migraine and sinusitis

આરોગ્ય / ઠંડીના કારણે થાય છે માથાનો દુ:ખાવો અને શરદી: જાણો માઈગ્રેનથી બચવાના ઉપાયો અને ટિપ્સ

Pooja Khunti

Last Updated: 03:08 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડો પવન માઇગ્રેન અને સાઈનસાઈટીસ જેવા રોગોને ઉત્તેજિત કરે છે. જેમ તાપમાન ઘટે છે તેમ માઈગ્રેન એટેકનું જોખમ પણ વધી જાય છે.

  • જેમ તાપમાન ઘટે છે તેમ માઈગ્રેન એટેકનું જોખમ પણ વધી જાય છે
  • તણાવને કારણે પણ માઇગ્રેનની સમસ્યા વધી જાય છે
  • ઠંડો પવન પણ માઈગ્રેનને પ્રોત્સાહન આપે છે

આ દિવસોમાં ભારતના ઘણા રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તીવ્ર ઠંડીના કારણે લોકોને અનેક બીમારીઓ થઈ રહી છે. ઉધરસ, શરદી, તાવ વગેરેની સાથે શિયાળામાં માથાનો દુ:ખાવો પણ વધી રહ્યો છે. ઠંડો પવન માઇગ્રેન અને સાઈનસાઈટીસ જેવા રોગોને ઉત્તેજિત કરે છે. જેમ તાપમાન ઘટે છે તેમ માઈગ્રેન એટેકનું જોખમ પણ વધી જાય છે. જો કે, તમારી જીવનશૈલી અને આદતોમાં થોડો ફેરફાર કરીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. પરંતુ સૌથી પહેલા માઈગ્રેનના કારણો જાણવા જરૂરી છે.

આ કારણે શિયાળામાં માઈગ્રેનની સમસ્યા વધી જાય છે
તાપમાનમાં પરિવર્તન સાથે-સાથે લોકોની બગડેલી જીવનશૈલી, ખાનપાન વગેરે પણ માઈગ્રેનના મુખ્ય કારણો છે. આ સાથે વધુ પડતો પ્રકાશ, દારૂનું સેવન અને તણાવને કારણે પણ માઇગ્રેનની સમસ્યા વધી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનાં મતે તાપમાનમાં ઘટાડો થવાની સીધી અસર માઈગ્રેન પર પડે છે. જેમ તાપમાન ઘટે છે તેમ બેરોમેટ્રિક દબાણ ઘટે છે. આ જ કારણ છે કે માઈગ્રેનનો દુ:ખાવો શરૂ થઈ જાય છે. ક્યારેક તેના કારણે કાનમાં દુ:ખાવો પણ થાય છે. આ સાથે, ઠંડા અને સૂકા પવનને કારણે સાઇનસ મેમ્બ્રેન ડીહાઇડ્રેટ થઈ જાય છે. જેનાથી માથાનાં દુ:ખાવાની સમસ્યા પણ વધી જાય છે. ઠંડા હવામાનમાં લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી. જેના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા સર્જાય છે. જે માઇગ્રેનને ઉત્તેજિત કરે છે.

વાંચવા જેવું: પ્રેગ્નન્સીમાં મહિલાઓએ ભૂલથી પણ ન ખાવી જોઇએ આ ચીજ, નહીં તો બંનેના સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન

ઠંડો પવન પણ માઈગ્રેનને પ્રોત્સાહન આપે છે
સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ તાપમાનમાં ફેરફાર મગજની રક્ત વાહિનીઓના સંકોચન અને વિસ્તરણને અસર કરે છે. આનાથી મગજમાં સોજો આવે છે. જેના કારણે માઈગ્રેનનો દુ:ખાવો થાય છે. તે જ સમયે તાપમાન ઘટવાથી મગજમાં રસાયણોના સ્તરને અસર થાય છે. આ રસાયણોમાંથી એક સેરોટોનિન છે. જે પીડાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે સેરોટોનિનનું સ્તર ઘટે છે ત્યારે તે આધાશીશીના લક્ષણોને ઉત્તેજિત કરે છે. બીજી તરફ ઠંડો પવન પણ માઈગ્રેનને પ્રોત્સાહન આપે છે. ઠંડા પવન થર્મોરેગ્યુલેશનની પ્રક્રિયાને અસર કરે છે. જે રક્ત પ્રવાહને અસર કરે છે. જેના કારણે માઈગ્રેન થવાનો ડર રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ