બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Cold wind triggers diseases like migraine and sinusitis
Pooja Khunti
Last Updated: 03:08 PM, 17 January 2024
આ દિવસોમાં ભારતના ઘણા રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તીવ્ર ઠંડીના કારણે લોકોને અનેક બીમારીઓ થઈ રહી છે. ઉધરસ, શરદી, તાવ વગેરેની સાથે શિયાળામાં માથાનો દુ:ખાવો પણ વધી રહ્યો છે. ઠંડો પવન માઇગ્રેન અને સાઈનસાઈટીસ જેવા રોગોને ઉત્તેજિત કરે છે. જેમ તાપમાન ઘટે છે તેમ માઈગ્રેન એટેકનું જોખમ પણ વધી જાય છે. જો કે, તમારી જીવનશૈલી અને આદતોમાં થોડો ફેરફાર કરીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. પરંતુ સૌથી પહેલા માઈગ્રેનના કારણો જાણવા જરૂરી છે.
આ કારણે શિયાળામાં માઈગ્રેનની સમસ્યા વધી જાય છે
તાપમાનમાં પરિવર્તન સાથે-સાથે લોકોની બગડેલી જીવનશૈલી, ખાનપાન વગેરે પણ માઈગ્રેનના મુખ્ય કારણો છે. આ સાથે વધુ પડતો પ્રકાશ, દારૂનું સેવન અને તણાવને કારણે પણ માઇગ્રેનની સમસ્યા વધી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનાં મતે તાપમાનમાં ઘટાડો થવાની સીધી અસર માઈગ્રેન પર પડે છે. જેમ તાપમાન ઘટે છે તેમ બેરોમેટ્રિક દબાણ ઘટે છે. આ જ કારણ છે કે માઈગ્રેનનો દુ:ખાવો શરૂ થઈ જાય છે. ક્યારેક તેના કારણે કાનમાં દુ:ખાવો પણ થાય છે. આ સાથે, ઠંડા અને સૂકા પવનને કારણે સાઇનસ મેમ્બ્રેન ડીહાઇડ્રેટ થઈ જાય છે. જેનાથી માથાનાં દુ:ખાવાની સમસ્યા પણ વધી જાય છે. ઠંડા હવામાનમાં લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી. જેના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા સર્જાય છે. જે માઇગ્રેનને ઉત્તેજિત કરે છે.
વાંચવા જેવું: પ્રેગ્નન્સીમાં મહિલાઓએ ભૂલથી પણ ન ખાવી જોઇએ આ ચીજ, નહીં તો બંનેના સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
ઠંડો પવન પણ માઈગ્રેનને પ્રોત્સાહન આપે છે
સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ તાપમાનમાં ફેરફાર મગજની રક્ત વાહિનીઓના સંકોચન અને વિસ્તરણને અસર કરે છે. આનાથી મગજમાં સોજો આવે છે. જેના કારણે માઈગ્રેનનો દુ:ખાવો થાય છે. તે જ સમયે તાપમાન ઘટવાથી મગજમાં રસાયણોના સ્તરને અસર થાય છે. આ રસાયણોમાંથી એક સેરોટોનિન છે. જે પીડાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે સેરોટોનિનનું સ્તર ઘટે છે ત્યારે તે આધાશીશીના લક્ષણોને ઉત્તેજિત કરે છે. બીજી તરફ ઠંડો પવન પણ માઈગ્રેનને પ્રોત્સાહન આપે છે. ઠંડા પવન થર્મોરેગ્યુલેશનની પ્રક્રિયાને અસર કરે છે. જે રક્ત પ્રવાહને અસર કરે છે. જેના કારણે માઈગ્રેન થવાનો ડર રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh