બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cold weather continues in the state including Ahmedabad

કોલ્ડવેવ / ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત: 8 ડિગ્રી સાથે રાજ્યનું આ શહેર રહ્યું સૌથી ઠંડુ, જાણો તાપમાન

Vishal Khamar

Last Updated: 10:41 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં કંઈક અંશે ઘટાડો થવા પામ્યો છે. હજુ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરી હતી.

  • અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત
  • નવસારી 8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર
  • છેલ્લા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું

 રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ત્યારે નવસારીમાં 8 ડિગ્રી સાથે ઠંડું શહેર રહેવા પામ્યું હતું. રાજ્યમાં 6 શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શહેરોમાં 12 ડિગ્રી આપસાપસ તામાન નોંધાયું છે. છેલ્લા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે.

રાજ્યમાં નોંધાયેલ તાપમાન
રાજ્યનાં અમુક શહેરોમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો મહુવામાં 10.5, વડોદરામા 11, ડીસામાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 11.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમ્યાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. તેમજ ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. જ્યારે તાપમાનનો પારો 13 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.  

શિયાળાની 70 ટકા સીઝન પૂર્ણઃ પરેશ ગોસ્વામી (હવામાન નિષ્ણાંત)
આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે, હાલ શિયાળાની 70 ટકા સીઝન પૂર્ણ થઈ ગઈ છે.  શિયાળાની સીઝન દરમ્યાન બે થી ત્રણ રાઉન્ડ સારા હતા. આ વર્ષે અલનીનોને કારણે ઠંડી ખૂબ જ ઓછી રહેવા પામી હતી. 

વધુ વાંચોઃ આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક: વિવિધ મુદ્દાઓ પર ચર્ચા, હરણી લેક દુર્ઘટનાને પણ આવરી લેવાશે!

આ તારીખ બાદ વધશે તાપમાનનો પારો
તેમજ વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે. અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થતો હોય છે. ત્યારે આ વર્ષે 2023-24 માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.  માર્ચ મહિનાથી તાપમાન વધતું હોય છે. તેમ 15 ફેબ્રુઆરીથી તાપમાનનો પારો વધવાની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ