બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / cm arvind kejriwal is kingpin of liquor scam says ed in court

રાજકારણ / કેજરીવાલ જ મુખ્ય આરોપી..., કોર્ટની સામે EDએ શું કહ્યું? 600 કરોડનો પણ એક દાવો

Published By: Arohi

Last Updated: 04:03 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM Arvind Kejriwal Liquor Scam: કથિત દારૂ કોભાંડમાં ધરપકડ કરવામાં આવેલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને EDએ શુક્રવારે કોર્ટની સામે ઘણા મોટા દાવા કર્યા. EDએ તેમને ઘોટાળાના મુખ્ય આરોપી ગણાવ્યા.

કથિત દારૂ કોભાંડમાં ધરપકડ કરવામાં આવેલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને EDએ શુક્રવારે કોર્ટની સામે ઘણા મોટા દાવા કર્યા. EDએ રાઉઝ એવેન્યૂ કોર્ટમાં હાજર થયેલ કેજરીવાલને કોભાંડના મુખ્ય મુખ્ય આરોપી ગણાવ્યા. તપાસ એજન્સીએ ઘણા દલીતોની સાથે કોર્ટને એ જણાવવાનો પ્રયત્ન કર્યો કે દિલ્હીના મુખ્યમંત્રી રહેતા કેવી રીતે તેમણે નીતિ ઘડી અને લાગુ કરવામાં ભુમિકા નિભાવી. 

EDની તરફથી રજૂ થયેલા એએસજી એસવી રાજૂએ કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડ માંગતા કેજરીવાલ પર ઘણા મોટા આરોપ લગાવ્યા. એએસજીએ કેજરીવાલને મુખ્ય આરોપી ગણાવતા કહ્યું કે તે નવી નીતિને બનાવવા અને લાગુ કરવામાં સીધા જોડાયેલા છે. 

તેમણે દારૂ ઘોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં બંધ બધા આરોપીઓની સાથે કેજરીવાલના સંબંધ અને સંપર્ક ગણાવ્યા. આ કેસમાં જેલ જઈ ચુકેલા વિજય નાયરનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો અને કેજરીવાલની સાથે તેમના નજીકના સંબંધ જણાવ્યા. 

એએસજીએ કહ્યું કે કેજરીવાલ અપરાધની પ્રક્રિયામાં શામેલ હતા અને ગોવા ચૂંટણી પ્રચાર સાથે પણ જોડાયેલા હતા. તે પાર્ટીના મુખીયા છે. તે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના સતત સંપર્કમાં હતા. એએસજીએ કહ્યું, વિજય નાયર કેજરીવાલના ઘરની નજીક રહી રહ્યા હતા. તે દિલ્હી સરકારના મંત્રી કૈલાશ ગહલોતને મળીને ઘરમાં રહી રહ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટી અને સાઉથ ગ્રુપની વચ્ચે મધ્યસ્થીની ભુમિકા નિભાવી.

ઈડીએ કોર્ટમાં દાવો કર્યો છે કે કેજરીવાલે ફાયદો પહોંચાડવાના બદલામાં સાઉથ ગ્રુપ પાસેથી લાંચ માંગી. એએસજીએ પોતાની દલીલને મજબૂતી આપવા માટે અમુક નિવેદનોનો હવાલો આપ્યો. એએસજીએ કહ્યું કે લાંચના બદલે સાઉથ ગ્રુપને દિલ્હીમાં દારૂ વેપાર પર નિયંત્રણ આપવામાં આવ્યું. 

વધુ વાંચો: IPL રસિયાઓની સગવડ વધી, અમદાવાદમાં મેટ્રોનો ટાઈમ લંબાવાયો, સ્પેશિયલ ટિકિટ બહાર પડાઈ

એએસજીએ કહ્યું હું અપરાધની પ્રક્રિયામાં તેમની ભુમિકા વિશે જણાવીશ. અપરાધ ફક્ત લાંચ મળેલા 100 કરોડ રૂપિયાનુ નથી. પરંતુ લાંચ આપનારને થયેલા ફાયદાનું છે. આ 600 કરોડથી વધારે હતું. તેમણે એવો પણ દાવો કર્યો છે કે બધા વેંડર્સને એક હદ સુધી કેશ આપવામાં આવી. એએસજીએ અમુક ચેટ પણ કોર્ટ સામે રજૂ કરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

CM Arvind Kejriwal ED Liquor scam court kingpin અરવિંદ કેજરીવાલ cm arvind kejriwal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ