બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ભારત / climate change hovering over these rivers of South Asia will be harmful, many lives are in danger
Megha
Last Updated: 01:12 PM, 20 March 2024
છેલ્લા ઘણા વર્ષોથી એક ચિંતાજનક વિષય પર લોકો વાતો કરી રહ્યા છે અને તેને રોકવાના ઘણા ઉપાયો શોધી રહ્યા છે પરંતુ કોઈ સફળ ઉપાય હજુ સુધી મળ્યો નથી. આ વિષય છે ગ્લોબલ વોર્મિંગ. હવે એ વાત તો જાણીતી જ છે કે માનવીય પ્રવૃતિઓને કારણે વિશ્વનું તાપમાન વધી રહ્યું છે અને પરિણામે વાતાવરણમાં થતા પરિવર્તન હવે માનવ જીવનના દરેક પાસાઓ માટે ખતરારૂપ બની ગયા છે.
એવામાં હવે જળવાયુ પરિવર્તનને લગતો એક તાજેતરનો અહેવાલ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા સહિત દક્ષિણ એશિયાના મુખ્ય નદીના તટપ્રદેશોમાં હવામાન પરિવર્તનની ખતરનાક અસરો અનુભવાશે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે માનવજાતની ગતિવિધિઓ અને ક્લાઈમેટ ચેન્જના કારણે લગભગ એક અબજ લોકોને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
અહેવાલ મુજબ, 3 નદીઓ ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા સહિત દક્ષિણ એશિયાની મુખ્ય નદી ખીણો પર જળવાયુ પરિવર્તનની ખતરનાક અસર અનુભવાશે અને તેના માટે આબોહવા-સ્થિતિસ્થાપક અભિગમની તાત્કાલિક જરૂર છે. જીવન જરૂરી કહેવાતું ચોમાસું ભયાનક પૂરનું કારણ બની શકે છે. આબોહવા પરિવર્તન, વધતું તાપમાન અને અનિયમિત ચોમાસું તટપ્રદેશને સંકટ તરફ ધકેલી રહ્યું છે.
હવે એ વાત તો જાણીતી જ છે કે હિમાલય દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાના ભાગો માટે તાજા પાણીનો સ્ત્રોત છે. તેમના બરફ, ગ્લેશિયર્સ અને વરસાદના પાણીથી એશિયાની 10 સૌથી મોટી નદી પાણીથી ભરપૂર રહે છે. તેમાંથી ખાસ કરીને ગંગા નદી એ 60 કરોડથી વધુ લોકો માટે આવશ્યક માનવામાં આવે છે. હવે આ નદી પણ પર્યાવરણના વધતા જોખમોનો પણ સામનો કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ઝડપી ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને આધુનિક કૃષિ પદ્ધતિઓએ નદીના પાણી પર ખરાબ અસર છોડી રહી છે.
અહેવાલમાં જણાવાયું છે કે ગટર અને ઔદ્યોગિક કચરો પાણીને ગંભીર રીતે પ્રદૂષિત કરે છે, જે લોકો અને પર્યાવરણ માટે જોખમ ઊભું કરે છે. આ આબોહવા પરિવર્તનની અસરો ખાસ કરીને પૂર અને દુષ્કાળના સ્વરૂપમાં જોખમ વધારી રહી છે.
વધુ વાંચો: માત્ર બેંગલુરૂ જ નહીં, વિશ્વના આ શહેરોમાં પણ સર્જાઇ શકે છે જળ સંકટ, જાણો કારણ
એ જ રીતે, જો આપણે સિંધુ નદી વિશે વાત કરીએ, તો તે પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને ચીનના 26.8 કરોડ લોકોની જીવાદોરી કહેવાય છે. જો કે, હવામાન પરિવર્તન, વધતું તાપમાન અને અનિયમિત ચોમાસું આ નદીને પણ સંકટ તરફ ધકેલી રહ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir