બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Center filed the petition on same sex marriage in SC which says petitioners do not represent the view of the entire nation
Vaidehi
Last Updated: 07:42 PM, 17 April 2023
કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરી આપવાનો વિરોધ કર્યો છે. રવિવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જેમાં સમલૈંગિક વિવાહને કાયદેસર બનાવવાની માંગ કરતી અરજીઓનાં સ્વીકાર પર સવાલો કર્યાં છે. સરકારે દલીલ કરતાં કહ્યું કે હિંદૂ અને મુસ્લિમ ધર્મમાં સેમ સેક્સ મેરેજ અમાન્ય છે.
હિન્દૂ-મુસ્લિમ ધર્મમાં સેમ સેક્સ મેરેજ અમાન્ય
સરકારે કહ્યું કે લગ્ન જેવા સામાજિક સંબંધો તમામ ધર્મોમાં ઘણું મહત્વ ધરાવે છે અને હિન્દૂ કાયદાની તમામ શાખાઓમાં તેને પવિત્ર માનવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું કે મુસ્લિમ ધર્મ કે જેમાં લગ્ન એક કરાર છે તેમાં પણ માન્ય વિવાહ માત્ર એક પુરુષ અને સ્ત્રી વચ્ચે જ થાય છે.
BREAKING: Centre tells #SupremeCourt that same-sex marriage is an urban elitist concept which is far removed from social ethos of country. Extending same sex marriage beyond heterosexual unions will create a new institution, Centre says. pic.twitter.com/xT4SG2SiWr
— LawBeat (@LawBeatInd) April 17, 2023
લગ્ન પર નિર્ણય માત્ર સંસદ લઈ શકે છે સુપ્રીમ કોર્ટ નહીં- કેન્દ્ર
કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં અનુરોધ કર્યો કે પહેલા એ વાતની સુનાવણી થવી જોઈએ કે આ અરજીઓ સુનાવણી યોગ્ય છે કે નહીં. સરકારે કહ્યું કે જે લોકો સેમ સેક્સ મેરેજને કાયદેસર માન્ય કરવાની માંગ કરી રહ્યાં છે તે શહેરી લોકો છે. આ સામાન્ય લોકોની સલાહ નથી. કેન્દ્ર સરકારે આ અરજીઓને ફગાવવાની માંગ કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે સમલૈંગિક લગ્નને ભારતીય પરિવારની વિચારધારાથી વિરુદ્ધનું કહ્યું છે. કાયદામાં ઉલ્લેખ છે તે અનુસાર સમલૈંગિક વિવાહને માન્યતા ન આપી શકાય કારણકે તેમાં પતિ અને પત્નીની વ્યાખ્યા જૈવિક ધોરણે આપવામાં આવી છે અને એ જ આધારે અધિકાર પણ આપવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારે કહ્યું કે આ લગ્ન પર નિર્ણય માત્ર સંસદ લઈ શકે છે સુપ્રીમ કોર્ટ નહીં.
Centre says petition seeking legal recognition of same -sex marriage issue has far-reaching implications. Centre informs SC that the petitioners seeking recognition of same-sex marriage do not represent the view of the entire population of the nation.
— ANI (@ANI) April 17, 2023
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીવાળી પીઠ આ મુદે મંગળવારે સુનાવણી કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh