બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Manisha Jogi
Last Updated: 01:47 PM, 28 August 2023
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહના ગોચરથી શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. 1 ઓક્ટોબરના રોજ બુધ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે. આ દરમિયાન બુધ ગોચરથી ભદ્ર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં ભદ્ર રાજયોગને શુભ માનવામાં આવે છે. બુધ ગ્રહ 1 ઓક્ટોબરના રોજ રાત્રે 08:45 વાગ્યે કન્યા રાશિમાં ગોચર કરશે.
વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ કુંડળીમાં 1, 4, 7 અથવા 10માં ભાવમાં હોય તો કન્યા અથવા મિથુન રાશિમાં હોય તો ભદ્ર રાજયોગ બને છે. આ યોગમાં વ્યક્તિને સફળતા અને નાણાંકીય લાભ પ્રાપ્ત થાય છે. વ્યક્તિની બુદ્ધિનો ઝડપથી વિકાસ થાય છે. આ યોગના કારણે વ્યક્તિની વાણી પર અસર થાય છે તથા તર્ક શક્તિમાં વૃદ્ધિ થાય છે. આ ભદ્ર રાજયોગથી 3 રાશિના જાતકોને વિશેષ લાભ થશે.
આ 3 રાશિના જાતકોને થશે લાભ
કન્યા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગોચરથી ભદ્ર રાજયોગનું નિર્માણ થશે. આ દરમિયાન કન્યા રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે અને વ્યક્તિત્ત્વમાં નિખાર આવશે. ભાગીદારીમાં બિઝનેસ કરી રહ્યા છો, તો નાણાંકીય લાભ થશે. આ રાશિના જાતકોની તથા તેમના પાર્ટનરની પ્રગતિ થઈ શકે છે. દાંપત્ય જીવન સુખમયી રહેશે. કુંવારી વ્યક્તિઓના લગ્ન નક્કી થઈ શકે છે.
ધન
આ રાશિના જાતકોના જીવન પર અસર થશે. આ દરમિયાન નવી નોકરી મળી શકે છે. જે લોકો ઘણા સમયથી બેરોજગાર છે, તેમને આ સમયે નોકરી મળી શકે છે. નોકરિયાત વ્યક્તિઓને પ્રમોશન મળી શકે છે. આવકવૃદ્ધિમાં લાભ થશે. બિઝનેસ કરતા લોકોને નાણાંકીય લાભ થવાની સંભાવના છે. કામ વિસ્તારિત કરવા માટે હાલનો સમય અનુકૂળ છે. નાણાંકીય લાભથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે.
મકર
ભદ્ર રાજયોગથી ભાગ્ય ચમકી જશે. તમામ કામમાં ભાગ્યનો સાથ મળવાથી સફળથા પ્રાપ્ત થશે. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થવાની સંભાવના છે. પારિવારિક જીવન સુખમયી રહેશે. માંગલિક કાર્યોમાં મન પરોવાશે. પૂજા પાઠ કરવાથી માનસિક શાંતિ મળશે. કાયદાકીય મામલે તમારા પક્ષમાં નિર્ણય આવશે. બિઝનેસ કરતા લોકોને યાત્રાથી લાભ થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ