બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / bihar heat wave red alert death nitish kumar government

મહામારી / બિહારમાં લૂનો પ્રકોપ : ધારા 144 લાગૂ કરાઇ, 22 જૂન સુધી તમામ સ્કૂલો બંધ

vtvAdmin

Last Updated: 04:10 PM, 17 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં ગરમીને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારમાં અત્યાર સુધીમાં ગરમીથી 78થી વધારે લોકાના મોત થઇ ચૂક્યા છે. માત્ર ઔરંગાબાદમાં 47 લોકોના મોત થયા છે. જ્યારે ગયામાં ગરમીને લઇને ધારા 144 લાગૂ કરી દેવાઇ છે. ભીષણ ગરમીને કારણે 22 જૂન સુધી બિહારમાં તમામ સ્કૂલો બંધ કરાઇ છે. શિક્ષણ વિભાગે આ સંબંધમાં ફરમાન જાહેર કર્યું છે.

બિહારમાં ભીષણ ગરમી અને લૂના પ્રકોપને જોતા ગયા જિલ્લામાં ધારા 144 લાગૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત જિલ્લામાં નિર્માણ કાર્યો, મનરેગાના કામ અને ખુલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી રોક લગાવી દેવાઇ છે. 

 

ગયાના જિલ્લાધિકારી અભિષેખ સિંહે ભીષણ ગરમી અને લૂના પ્રકોપને જોતા નિર્દેશ જાહેર કર્યો છે કે વાતાવરણ સામાન્ય થવા સુધી ધારા 144 લાગૂ કરી દેવાઇ છે. એટલે કે હવે કોઇપણ સાર્વજનિક કાર્યક્રમ, રાજનૈતિક કાર્યક્રમ, ધરણા પ્રદર્શન અને લોકા ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. એટલે કે ખુલ્લા સ્થાને કાર્યક્રમ પર નિષેધ રહેશે. આપને જણાવી કે, આ પહેલીવાર છે કે જ્યારે ગરમીના પ્રકોપને જોતા ધારા 144 લાગૂ કરી દેવામાં આવી છે.

ડીએમ પોતાના નિર્દેશમાં એમ પણ કહ્યું છે કે, મનરેગાની કોઇ યોજના સવારે 10.30 વાગ્યા બાદ નહીં ચાલે. કોઇપણ નિર્માણ કાર્ય 11 વાગ્યે સવારેથી સાંજે 4 વાગ્યા સુધી નહીં કરી શકાય. તંત્રનું માનવું છે કે નિર્માણ કાર્યમાં રહેલા મજૂર તેના શિકાર બની રહ્યા છે.

આ દરમિયાન બજાર પણ બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તંત્રે લોકોને અપીલ કરી છે કે, લોકો ઘરમાં રહે અને જરૂરી કામ હોય તો જ બહાર નીકળે. બપોરે ઘરની  બહાર ન નીકળે તથા પાણી ખુબ જ પીવાનું રાખે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ